વિશ્વકર્મા
આર્કિટેક્ચર હિન્દુ ભગવાન / From Wikipedia, the free encyclopedia
વિશ્વકર્માને વાસ્તુશાસ્ત્ર તેમજ માનવ જીવન ઉપયોગી વિજ્ઞાનના પ્રણેતા માનવામાં આવે છે. વિશ્વકર્મા પુરાણનું પઠન, પાઠન પણ પુણ્યકારક મનાય છે. વિશ્વકર્મા વૈદિક દેવતાના રૂપમાં માન્ય છે, પરંતુ તેમનું પૌરાણિક સ્વરૂપ અલગ પ્રતીત થાય છે. સૃષ્ટિના પ્રારંભ કાળથી જ વિશ્વકર્મા તરફ સન્માનનો ભાવ રહ્યો છે. તેમને ગૃહસ્થ જેવી સંસ્થાઓ માટે આવશ્યક સુવિધાઓના કારક અને પ્રવર્તક માનવામાં આવે છે. વિશ્વકર્માને સૃષ્ટિના પ્રથમ પ્રવર્તક માનવામાં આવે છે.
વાસ્તુના અઢાર ઉપદેશકોમાંથી વિશ્વકર્માને પ્રમુખ માનવામાં આવે છે. ઉત્તરમાં જ નહીં દક્ષિણ ભારતમાં પણ જયાં ‘મય’ના ગ્રંથોને સ્વીકૃત કરવામાં આવે છે. વિશ્વકર્માના મતમાં સહજ લોકમાન્યતા પ્રાપ્ત થાય છે. વરાહમિહિરે પણ કેટલીક જગ્યાએ તેમના મતોનો ઉલ્લેખ કર્યો છે.