મૃણાલિની સારાભાઈ
ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગના અને પ્રશિક્ષક / From Wikipedia, the free encyclopedia
મૃણાલિની વિક્રમ સારાભાઈ (૧૧ મે ૧૯૧૮ – ૨૧ જાન્યુઆરી ૨૦૧૬) એક ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગના, નૃત્ય સંચાલક અને પ્રશિક્ષક હતા. તેઓ દર્પણ એકેડમી ઓફ આર્ટસના સ્થાપક હતા, જે અમદાવાદમાં નૃત્ય, નાટક, સંગીત અને કઠપૂતળી કલાની તાલીમ આપતી સંસ્થા છે. તેમને કલામાં તેમના યોગદાન માટે ઘણાં પુરસ્કારો અને સન્માનો પ્રાપ્ત થયા હતા. તેમણે ભરતનાટ્યમ અને કથકલી નૃત્યની ૧૮,૦૦૦ વિદ્યાર્થીઓને તાલીમ આપી હતી. તેઓ ભારતીય ભૌતિકશાસ્ત્રી વિક્રમ સારાભાઈના પત્નિ હતા.
Quick Facts મૃણાલિની સારાભાઈ, જન્મની વિગત ...
મૃણાલિની સારાભાઈ | |
---|---|
મૃણાલિની સારાભાઈ (૨૦૦૮) | |
જન્મની વિગત | (1918-05-11)11 May 1918 કેરળ, બ્રિટીશ ભારત |
મૃત્યુ | 21 January 2016(2016-01-21) (ઉંમર 97) અમદાવાદ, ગુજરાત, ભારત |
રાષ્ટ્રીયતા | ભારતીય |
વ્યવસાય | નૃત્યાંગના, નૃત્ય નિર્દેશક અને પ્રશિક્ષક |
પદ | દર્પણ એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સ્થાપક |
જીવનસાથી | વિક્રમ સારાભાઈ(m.1942 d. 1971] |
સંતાનો | મલ્લિકા સારાભાઈ (પુત્રી) કાર્તિકેય સારાભાઈ (પુત્ર) |
સન્માનો | પદ્મભૂષણ (૧૯૯૨) પદ્મશ્રી (૧૯૬૫) |
બંધ કરો