પ્રહલાદ
From Wikipedia, the free encyclopedia
પ્રહલાદ હિંદુ ધર્મની પુરાણ કથાઓનું એક પાત્ર છે,જે તેની ભગવાનવિષ્ણુ પ્રત્યેની અદ્વિતિય ભક્તિ માટે પ્રસિદ્ધ છે,જેમાંથી તે તેમનાં પિતા હિરણ્યકશીપુનાં ભરપુર પ્રયાસો છતાં ડગ્યો નહીં. વૈષ્ણવ સંપ્રદાયમાં તે મહાન ભક્ત તરીકે પ્રસિદ્ધ છે અને નૃસિંહ અવતારનાં ભક્તોમાં તેનું ખાસ મહત્વ છે.
ભાગવત પુરાણમાં પ્રહલાદને એક તત્વજ્ઞાની તરીકેનું માન પ્રાપ્ત છે. પ્રભુને પ્રેમ પૂર્વક પ્રાર્થના એ પણ એક ભક્તિરૂપે તત્વજ્ઞાન જ છે એ વાત બતાવી છે. ભાગવત પુરાણની મોટાભાગની કથા પ્રહલાદના બાળપણને આવરી લે જ છેૢ આને લેધે તેનું વર્ણન અને ચિત્રો માં વધુ જોવા મળે છે.