પર્યાવરણીય શિક્ષણ
From Wikipedia, the free encyclopedia
પર્યાવરણીય શિક્ષણ (EE) એ પ્રાકૃતિક પર્યાવરણ કેવી રીતે કાર્ય કરે છે અને સાતત્યપૂર્ણ રીતે જીવવા મનુષ્ય કેવી રીતે વ્યવહાર અને નિવસનતંત્ર સાથે સમાયોજન સાધે છે તેનું શિક્ષણ આપવાનો સંગઠિત પ્રયાસ છે. આ શબ્દનો પ્રયોગ શાળાકીય વ્યવસ્થામાં પ્રાથમિકથી લઈને માધ્યમિક બાદના શિક્ષણમાં શિક્ષણ આપવા માટે થાય છે. જોકે, કેટલીક વખત સામાન્ય જનતા તથા અન્ય દર્શકવર્ગમાં જાગૃતિ ફેલાવવાના પ્રયાસરૂપે તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં લેખિત સામગ્રી, વેબસાઇટ, માધ્યમોના અભિયાનો વગેરેનો સમાવેશ થાય છે. સંબંધિત શિક્ષણમાં આઉટડોર શિક્ષણ અને પ્રાયોગિક શિક્ષણનો સમાવેશ થાય છે. પર્યાવરણીય શિક્ષણ એ શીખવાની એક પ્રક્રિયા છે, જે પર્યાવરણ અને તેને સંબંધિત પડકારો વિશે લોકોમાં જાગૃતિ ફેલાવે છે, તે પડકારોનો સામનો કરવા માટેની આવશ્યક આવડતો તથા કૌશલ્યોને વિકસાવે છે અને જવાબદારીપૂર્વકનાં પગલાં લેવા માટેનાં વલણ, પ્રેરણા તથા પ્રતિબદ્ધતાને પ્રોત્સાહિત કરે છે. (યુનેસ્કો (UNESCO), ટબિલિસિ ઘોષણા, 1978).