![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/75/IndiaGate.jpg/640px-IndiaGate.jpg&w=640&q=50)
ઈંડિયા ગેટ
From Wikipedia, the free encyclopedia
ઈંડિયા ગેટ (હિંદી: इंडिया गेट) ભારતનું એક રાષ્ટ્રીય સ્મારક છે. તે ભારતના સૌથી મોટા યુદ્ધ સ્મારકોમાંનું એક છે. નવી દીલ્હીના હૃદય સ્થાને આવેલ આ સ્મારકની પ્રતિકૃતિ સર એડવીન લ્યુટાઈંસ દ્વારા પરિકલ્પિત હતી. શરૂઆતમાં અખિલ ભારતીય યુદ્ધ સ્મારક તરીકે ઓળખાતું આ સ્થળ દીલ્હીનું પ્રમુખ સ્થળ છે અને તે સમયની બ્રિટિશ ભારતીય સેનાના ૯૦,૦૦૦ સૈનિકોના નામ તેના પર અંકિત છે જેમણે ભારતભૂમિ માટે લડતા ખરેખર તો ભારતમાંની બ્રિટિશ સત્તા માટે પ્રથમ વિશ્વ યુદ્ધમાં અને અફઘાન યુદ્ધોમાં લડતાં લડતાં પોતાના પ્રાણ ગુમાવ્યા હતાં.
ઈંડિયા ગેટ | |
---|---|
![]() | |
![]() ઈંડિયા ગેટ | |
For ભારતીય સિપાહીઓ જેઓ પ્રથમ વિશ્વ યુદ્ધ અને અફઘાન યુદ્ધોમાં શહીદ થયેલા | |
Established | ૧૯૨૧ |
Unveiled | ૧૯૩૧ |
Location | 28°36′46.31″N 77°13′45.5″E near દિલ્હી, ભારત |
Designed by | એડવીન લ્યુટાઈંસ |
શરુઆતમાં કિંગ જ્યોર્જ ૫ ની પ્રતિમા આ ગેટની સામેની અત્યારની ખાલી ચંદરવામાં બિરાજમાન હતી જેને અત્યારે અન્ય મૂર્તિઓ સાથે કોરોનેશન પાર્કમાં મૂકવામાં આવી છે. ભારતની સ્વતંત્રતા પછી આ સ્થળ ભારતીય સેનાના અજ્ઞાત સિપાહીનો મકબરો જેને અમર જવાન જ્યોત તરીકે પણ ઓળખાય છે તેણે લીધું છે.