From Wikipedia, the free encyclopedia
હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી (૨૬ મે ૧૯૧૭ - ૧૧ નવેમ્બર ૨૦૦૦) ગુજરાતી સંશોધક, સંપાદક, ભાષાશાસ્ત્રી, વિવેચક, અનુવાદક હતા.
હરિવલ્લભ ભાયાણી | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
જન્મનું નામ | હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી | ||||||||||
જન્મ | મહુવા, ગુજરાત | 26 May 1917||||||||||
મૃત્યુ | ૧૧ નવેમ્બર, ૨૦૦૦ | ||||||||||
વ્યવસાય | સંશોધક, સંપાદક, ભાષાશાસ્ત્રી, વિવેચક, અનુવાદક | ||||||||||
ભાષા | ગુજરાતી | ||||||||||
રાષ્ટ્રીયતા | ભારતીય | ||||||||||
શિક્ષણ | એમ.એ., પીએચ.ડી. | ||||||||||
માતૃ શિક્ષણ સંસ્થા | ભારતીય વિદ્યા ભવન | ||||||||||
નોંધપાત્ર સર્જનો | રચના સમરચના (૧૯૮૦) | ||||||||||
નોંધપાત્ર પુરસ્કારો |
| ||||||||||
જીવનસાથી | ચંદ્રકલા (લ. 1950) | ||||||||||
સહી | |||||||||||
|
તેમનો જન્મ ગુજરાતના મહુવા નગરમાં થયો હતો.
૧૯૩૪માં મહુવાની એમ.એન. હાઈસ્કૂલમાંથી મેટ્રિક કર્યા બાદ તેમણે ૧૯૩૯માં સંસ્કૃત વિષય સાથે બી.એ. અને ૧૯૪૧માં સંસ્કૃત અને અર્ધમાગધી વિષયોમાં ભારતીય વિદ્યાભવન, મુંબઈથી એમ.એ.ની પદવી મેળવી.[1] ૧૯૫૧માં મુનિ જિનવિજયજીના માર્ગદર્શન હેઠળ કવિ સ્વયંભૂદેવકૃત અપભ્રંશ ભાષાના રામાયણ વિષયક મહાકાવ્ય ‘પઉમચરિય’ પર મહાનિબંધ દ્વારા પીએચડીની પદવી પ્રાપ્ત કરી.
૧૧ નવેમ્બર ૨૦૦૦ના રોજ તેમનું અવસાન થયું હતું.[2]
૧૯૪૫થી ૧૯૬૫ સુધી ભારતીય વિદ્યા ભવનમાં તેઓ સંશોધક–અધ્યાપક રહ્યા હતા. ૧૯૬૫થી ૧૯૭૫ પર્યંત ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવન સાથે સંલગ્ન હતા. ૧૯૭૫માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા પછી લાલભાઈ દલપતભાઈ પ્રાચ્યવિદ્યામંદિર, અમદાવાદમાં માનદ પ્રાધ્યાપક હતા. ૧૯૮૦માં તેઓ ઈન્ટરનેશનલ સ્કૂલ ઑવ દ્રવિડિયન લિંગ્વિસ્ટિક્સ, ત્રિવેન્દ્રમમાં ગુજરાતીના પ્રોફેસર રહ્યા હતા.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.