યદુવંશ અથવા યદુવંશી શબ્દ ભારતીય ઉપમહાદ્વીપના એ જનસમુદાય માટે પ્રયુક્ત કરવામાં આવે છે, જે ચંદ્રવંશી રાજા યદુના વંશજો મનાય છે. યદુવંશી ક્ષત્રિય મૂળ આહીર હતા.[2] ભારતીય માનવ વૈજ્ઞાનિક કુમાર સુરેશ સિંહના અનુસાર માધુરીપુત્ર, ઈશ્વરસેન અને શિવદત્ત નામક ઘણાય વિખ્યાત યાદવ રાજાઓ કાલાંતરે રાજપૂતોમાં જોડાઈને યદુવંશી રાજપૂત કહેવાયા.[3] ચુડાસમા સૌરાષ્ટ્ર નો એક યદુવંશી રાજપુત વંશ છે જેમને વિભિન્ન ઐતિહાસિક સ્રોતોમાં મૂળ રૂપે સિંધ પ્રાંતના સમાંવંશ,[4][5][6] અથવા સિંધ ના યાદવ મનાય છે, જે 9મીં સદીમાં ગુજરાત આવ્યા હતા.[7][8]. મહાભારત કાળમાં પણ સૌરાષ્ટ્ર યાદવોનું રાજય હોવાનો ઉલ્લેખ છે. જાડેજા રાજપૂત પણ ગુજરાતનો એક યદુવંશ છે.[9][10] મૈસુર સામ્રાજ્યના હિન્દૂ રાજવંશને પણ યાદવકુળના વંશજો કહેવામાં આવ્યા છે.[11][12] ટોડ અને કે. સી. યાદવ જેવા ઇતિહાસકારો મુજબ રાજપૂતો પુરુરવાના ચંદ્રવંશી ક્ષત્રિય કુળના યાદવો છે. તેમનો પ્રાચીન વસવાટ સતલજ અને યમુના નદીની વચ્ચેનો પ્રદેશ હતો જ્યાંથી તેઓ હિજરત કરી પૂર્વ દિશામાં મથુરાથી આગળ અને દક્ષિણ દિશામાં ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી ગયાં. હરિયાણા રાજ્યનું નામ પણ અભિરાયણ (આ પ્રદેશનાં મૂળ વાસીઓ) પરથી ઉતરી આવ્યું હોય તેમ માનવામાં આવે છે. અભિરાયણ શબ્દનું મૂળ 'અભિર' એટલે કે નિડર શબ્દમાં રહ્યું હોય તેમ પણ શક્ય છે.

Thumb
જાહલ અને સોનલ બાઇ ના સાથે દેવાયત બોદરનું ચુડાસમા રાજકુંવર નવઘણની રક્ષા હેતુ પોતાના પુત્ર ઉગાનો વધ કરતા દર્શાવતું એક ઐતિહાસિક ચિત્ર.[1]

તેજ પ્રમાણે, ગુજરાતમાં મળી આવેલા શિલા લેખ અનુસાર મધ્ય ભારતના ઉચ્ચ પ્રદેશના ભિલ્સા (વિદીશા) અને ઝાંસી વચ્ચેનું ક્ષેત્ર આહીરવાડના નામે ઓળખાતું હતું. હિંદુ લેખકોના મતાનુસાર આહીરોને વાયવ્ય દિશાના રહેવાસી જણાવ્યાં છે.[13][14][15][16]

યદુવંશ પૌરાણિક કથા

યદુ ઋગ્વેદ માં વર્ણિત પાંચ ભારતીય આર્ય જનોં (પંચજન, પંચક્ષત્રિય અથવા પંચમાનુષ) માં થી એક છે.[17]

હિન્દૂ મહાકાવ્ય મહાભારત, હરિવંશ અને પુરાણોમાં યદુને રાજા યયાતિ અને રાણી દેવયાનીના પુત્ર બતાવ્યા છે. રાજકુમાર યદુ એક સ્વાભિમાની અને સુસંસ્થાપિત શાસક હતા. વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ અને ગરુણ પુરાણના અનુસાર યદુના ચાર પુત્ર હતા, જ્યારે બાકીના પુરાણો અનુસાર તેમના પાંચ પુત્ર હતા.[18] બુધ અને યયાતિના મધ્યના બધા રાજાઓને સોમવંશી અથવા ચંદ્રવંશી કહેવામાં આવ્યું છે. મહાભારત અને વિષ્ણુ પુરાણના અનુસાર યદુએ પિતા યયાતિને પોતાની યુવાવસ્થા પ્રદાન કરવું સ્વીકાર્યું નહીં જે કારણે યયાતિએ યદુના કોઈપણ વંશજને તેના રાજવંશ અને સામ્રાજ્યમાં ન જોડાવા બદલ શ્રાપ આપ્યો હતો. આ કારણોસર, યદુના વંશજો સોમવંશથી વિમુખ થઈ ગયા અને માત્ર રાજા પુરૂના વંશજો સોમવંશી કહેવાયા. આ પછી મહારાજ યદુએ ઘોષણા કરી કે તેમના વંશજો ભવિષ્યમાં યાદવ અથવા યદુવંશી કહેવાશે.[19] યદુ ના વંશજોએ અભૂતપૂર્વ ઉન્નતિ કરી પણ પછી તેઓ બે ભાગ માં વિભાજિત થઈ ગયા.

ઉત્પત્તિ

યદુવંશ આહીર કૃષ્ણ ના પ્રાચીન યાદવ જનજાતિ ના વંશજ મનાય છે.[20] તેઓ ટૉડની 36 રોયલ રેસ ની સૂચિમાં શામેલ છે.[21]

વિભિન્ન હિંદુ ધર્મગ્રંથો અને જુના લેખો થી સંકેત મળે છે કે ભારત માં તેમની મોજુદગી 6000 ઈ.પૂ. થી પણ જૂની પ્રાચીન કાળથી છે.[22]

વંશજ જાતિઓ

રાજા સહસ્ત્રજીતના વંશને હૈહય વંશ કહેવામાં આવતું હતું અને તેમના પૌત્રનું નામ પણ હૈહય હતું.[23] રાજા ક્રોષ્ટાના વંશજોને કોઈ વિશેષ નામ આપવામાં આવ્યું ન હતું, તેઓ સામાન્ય રીતે યાદવ કહેવાયા છે.[23] પી. એલ. ભાર્ગવના અનુસાર જ્યારે રાજ્યનું વિભાજન થયું ત્યારે સિંધુ નદીના પશ્ચિમનું રાજ્ય સહસ્ત્રજીતને મળ્યું અને પૂર્વ નો ભાગ ક્રોષ્ટાને સોંપવામાં આવ્યું.[24]

આધુનિક ભારતનાં યાદવ રાજપૂત છે [25] અથવા[26][27][28][29][30] યદુવંશજો મનાય છે.

પૌરાણિક દૃષ્ટિથી, યદુવંશી રાજપૂતો યદુ ના વંશજ છે.[31] શક્તિ સંગમ તંત્રમાં ઉલ્લેખ મળે છે કે રાજા યયાતિની બે પત્નીઓ હતી- દેવયાની અને શર્મિષ્ઠા. દેવયાનીથી યદુ અને તુર્વશૂ નામક પુત્રો થયા. યદુનાં વંશજ રાજપૂતો થયા [32][33][34][35][36][37]

આ પણ જુઓ

સંદર્ભ

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.