From Wikipedia, the free encyclopedia
જનમટીપ ઈશ્વર પેટલીકરની ૧૯૪૪માં પ્રકાશિત સૌપ્રથમ નવલકથા છે, જે ગુજરાતના શ્રમજીવી ઠાકરડા જ્ઞાતિના પાત્રોના સંઘર્ષ અને નાયક-નાયિકાના મનમાં ચાલતા અંતર સંઘર્ષની કથા છે.[1] જનમટીપ નવલકથા પાટણવાડીયા કે બારૈયા જ્ઞાતિના પ્રતિનિધિરૂપ પાત્રો ચંદા અને ભીમાની પ્રણયકથા, પરાક્રમ, શીલ, સંયમ, વટ, વ્યવહાર, ત્યાગ અને ભાવનાનું પ્રતિબિંબ રજૂ કરે છે.[2]
લેખક | ઈશ્વર પેટલીકર |
---|---|
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
પ્રકાર | જાનપદી નવલકથા |
પ્રકાશન તારીખ | ૧૯૪૪ |
જનમટીપ પાટણવાડીયા ખેડૂત ઠાકોરો જ્ઞાતિની સામાજિક વાસ્તવિકતા અને ગ્રામ સમાજને આબેહૂબ રજૂ કરતી નવલકથા છે. આ નવલકથામાં પાટણવાડીયા જ્ઞાતિનું હીર અને ઓજસ રજુ થાય છે.[3]
રયજીની દીકરી ચંદા પરાક્રમી અને સશક્ત વીરબાળા છે.[3] જેણે બાળપણમાં સાંઢને નાથ્યો હોય છે, જેથી તેનું નામ ગામોગામ ફેલાયું છે અને તેની સગાઈ તૂટી જાય છે.[1] રામદેવપીરના મેળામાં ભીમો પોલીસ સાથે બોલચાલ કરે છે.[3] તેને જોઈ ચંદા તેને પસંદ કરવા લાગે છે.[1] ત્યારબાદ ભીમા અને ચંદા ના લગ્ન થાય છે. ચંદા કહે છે કે, "હું અભિમાન નહીં કરું પણ ટેક નહિ મુકું".[1]
પુંજો બામરોલિયો ચંદાની મશ્કરી કરે છે, તે તેને પસંદ આવતું નથી અને વેર ન વાળે ત્યાં સુધી તે પોતાના પિયર ચાલી જાય છે. ભીમાને ખેતરમાં ધાડપાડુઓ સાથે ઝઘડો થાય છે અને તે ગંભીર રીતે ઘવાય છે.[2][3] તેને દવાખાનામાં દાખલ કરવામાં આવે છે, જ્યાં તેની સારવાર કરવા ચંદા આવે છે અને ભીમો સાજો થતાં પાછી પિયર ચાલી જાય છે.[1][2]
અંતે પિતા અને પુત્ર સાથે મળી પુંજાનું ખૂન કરે છે, વેર વળતાં ચંદા ઘેર પાછી ફરે છે. ભીમાને અને તેના પિતાને જનમટીપની સજા થાય છે, જેથી ચંદા ભીમાના ઘર-ખેતર ની દેખરેખ કરવા લાગે છે.[1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.