From Wikipedia, the free encyclopedia
૫ ગુરખા રાઇફલ્સ એ ભારતીય ભૂમિસેનાની પાયદળ રેજિમેન્ટ છે. તેમાં ભારતીય અને નેપાલ મૂળના ગુરખા સૈનિકોને ભરતી કરવામાં આવે છે. તે ઈસ ૧૮૫૮માં ઉભી કરવામાં આવી હતી. તેણે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં ફરજ બજાવી છે. તે ઈસ ૧૯૪૭માં આઝાદી સમયે ભારતના ફાળે આવી હતી. ત્યારબાદ તેણે ભારત-પાકિસ્તાનના ૧૯૬૫ અને ૧૯૭૧માં ફરજ બજાવી હતી. તેણે શ્રીલંકા ખાતેની શાંતિસેનામાં નિયુક્તિ મેળવી હતી.
૧૮૫૮માં રેજિમેન્ટ હઝારા ગોરખા રેજિમેન્ટ તરીકે ઉભી કરવામાં આવી હતી[1] અને ૧૮૬૧માં તેને ગોરખા રેજિમેન્ટ નામ આપવામાં આવ્યું[2]પ્રથમ મોટી લડાઈ તેણે દ્વિતીય અફઘાન યુદ્ધ દરમિયાન લડી હતી અને આ માટે તેમને પેવાર કોટલ યુદ્ધ સન્માન અપાયું અને રેજિમેન્ટના અફસર કેપ્ટન જોન કુકને વિક્ટોરીયા ચંદ્રક અપાયો[3]
રેજિમેન્ટ તે ગાળામાં એબોટાબાદ ખાતે મુખ્યાલય ધરાવતી હતી.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન રેજિમેન્ટ મધ્ય-પૂર્વમાં તૈનાત કરવામાં આવી. તેણે ૧૯૧૫માં ગેલિપોલિમાં સખત લડાઈનો સામનો કર્યો હતો. તેમાં તેણે સાત અફસરો અને ૧૨૯ સૈનિકો ગુમાવ્યા હતા. પીછેહઠ દરમિયાન સૌથી આખરે રહેવામાં ૫ ગુરખા રાઈફલ્સની એક કંપની હતી.[4][5]
૧૯૧૬-૧૭માં ખાન બગદાદીની લડાઈમાં રેજિમેન્ટની પ્રથમ અને બીજી પલટણે ભાગ લીધો હતો. ત્રીજી પલટણ વાયવ્ય સરહદે તૈનાત હતી. તેને ૧૯૨૧માં વિખેરી નાખવામાં આવી હતી.[6]
પ્રથમ વિશ્વયુદ્ધમાં સેવાને મહત્ત્વની ગણી અને રેજિમેન્ટને શાહી ખિતાબ આપવામાં આવ્યો હતો. ૧૯૧૯માં તૃતીય અફઘાન યુદ્ધ દરમિયાન રેજિમેન્ટને ત્રણ યુદ્ધ સન્માન એનાયત કરાયાં.
દ્વિતીય વિશ્વયુદ્ધમાં ૧/૫ પલટણ ભૂમધ્ય સમુદ્ર અને મધ્ય-પૂર્વ ખાતે ફરજ પર હતી. તેણે ઈટલી કબ્જે કરવાની કાર્યવાહીમાં પણ ભાગ લીધો હતો. તે અભિયાનમાં રાઇફલમેન થમન ગુરુંગને વિક્ટોરીયા ચંદ્રક એનાયત કરાયો હતો.[7]
૨/૫ પલટણ બર્મા ખાતે તૈનાત હતી અને તેણે બ્રિટીશ ભારતીય સેનાની પીછેહઠમાં ભાગ લીધો હતો. તે સિટ્ટાંગ નદી ખાતે પાછળ રહી અને લડવાનું પસંદ કરનારી ચાર પલટણોમાંની એક હતી. જ્યારે જાપાનીઓને ભારતમાં પ્રવેશતા રોકવા નદી પરનો પુલ ઉડાવવામાં આવ્યો ત્યારે પલટણના ઘણા સૈનિકો સામા કાંઠે હતા. ૧૯૪૩માં બર્મા ખાતે ફરીથી પ્રવેશ કરવામાં પલટણ મોખરે રહી અને ત્રણ સૈનિકોને વિક્ટોરીયા ચંદ્રક એનાયત કરાયો. યુદ્ધ બાદ પલટણને ટોક્યો, જાપાન ખાતે તૈનાત કરવામાં આવી હતી.[8]
૪/૫ પલટણ ઈસ ૧૯૪૧માં ઉભી કરાઈ અને તે બર્મા ખાતે તૈનાત કરાઈ હતી. તેણે દંતકથા સમાન પાંચ લડાઈઓ ઉત્તર આરાકાન, બુથીડાંગ, કોહિમા, ઈરાવદી અને સિટ્ટાંગમાં ભાગ લીધો. તેને પાંચ લડાઈઓમાંથી ચાર માટે યુદ્ધ સન્માન એનાયત કરાયાં. પલટણના મેજર બ્રાઉનને દ્વિતીય વિશ્વયુદ્ધમાં ત્રણ વખત મિલિટરી ક્રોસ એનાયત કરાયો.[9]
સ્વતંત્રતા સમયે ભારતીય ભૂમિસેનામાં સામેલ થનારી છ ગુરખા રેજિમેન્ટ પૈકીની એક હતી. તેણે તમામ મોટા યુદ્ધોમાં ભાગ લીધો છે જેમાં ૧૯૭૧ના યુદ્ધમાં પ્રથમ હેલિકોપ્ટર વડે કરાયેલ લડાઈ પણ સામેલ હતી. રેજિમેન્ટ નિમ્ન લિખિત લડાઈઓનો ભાગ બની છે:
૧લી અને ૪થી પલટણ શ્રીલંકા ખાતેની ભારતીય શાંતિસેનાનો ભાગ હતી. તેણે તમિળ વિદ્રોહીઓ સાથે લડાઈ લડી હતી. આ અભિયાનમાં ૪થી પલટણનું નેતૃત્વ સંભાળી રહેલ લેફ્ટ કર્નલ બાવા શહીદ થયા હતા. રેજિમેન્ટનું હાલનું મુખ્યાલય ઉત્તર પૂર્વ ભારતમાં શિલોંગ ખાતે છે.
૧૯૪૭ પહેલાં રેજિમેન્ટના સાત અફસર અને સૈનિકોને વિક્ટોરીયા ચંદ્રક એનાયત કરાયા છે.[10]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.