૩ ગુરખા રાઇફલ્સ
From Wikipedia, the free encyclopedia
૩ ગુરખા રાઇફલ્સ એ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. તેમાં મુખ્યત્ત્વે નેપાળ મૂળના ગુરખા સૈનિકોને ભરતી કરવામાં આવે છે. તે સૌપ્રથમ અંગ્રેજો દ્વારા ૧૮૧૫માં ઉભી કરવામાં આવી હતી. તેઓ ૧૮૫૭માં દિલ્હીના ઘેરામાં, બંને વિશ્વયુદ્ધમાં તૈનાત હતી અને આઝાદી સમયે ભારત, નેપાળ અને બ્રિટનના ત્રિપક્ષીય કરાર અનુસાર ભારતીય સેનાના ફાળે આવેલી છ ગુરખા રેજિમેન્ટમાંની એક હતી. આઝાદી પહેલાં તે ૩જી રાણી એલેક્ઝાન્ડ્રાની ગુરખા રાઇફલ્સ તરીકે જાણીતી હતી. તેણે આઝાદી બાદ ૧૯૪૭ અને ૧૯૭૧ના યુદ્ધમાં ભાગ લીધો છે.