From Wikipedia, the free encyclopedia
અમરનાથ યાત્રા પર ત્રાસવાદી હુમલો ૧૦ જુલાઈ ૨૦૧૭ના ભારતના જમ્મુ-કાશ્મીરમાં થયો હતો. ઇસ્લામિક આતંકવાદી સંસ્થા લશ્કર-એ-તૈયબા આ દ્વારા કરવામાં આવેલા આ ત્રાસવાદી હુમલામાં ૭ શ્રદ્ધાળુઓના મૃત્યુ નીપજ્યાં હતા.[6] ભારત સરકારનો આરોપ છે કે, આ હુમલામાં ઇસ્લામિક આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સભ્ય ઇસ્માઇલ, મુખ્ય આરોપી છે. પરંતુ પાકિસ્તાન સ્થિત[7] ઇસ્લામિક આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ આ આક્રમણની જવાબદારી સ્વીકારી નહોતી.[3] ૧૦ જુલાઈ ૨૦૧૭ તારીખ અને તે મુજબ ભારતમાં પ્રચલિત પૂર્ણિમાસાંત કાલગણના આધારિત પંચાંગ મુજબ શ્રાવણ માસના પ્રથમ સોમવારે અનંતનાગ જિલ્લામાં આ આક્રમણ કરાયું હતું.[8] અમરનાથ ભારત, નેપાળ અને વિશ્વભરમાં નિવાસ કરતા હિંદુ ધર્મના લોકો માટે મુખ્ય યાત્રાધામ છે. ભારતમાં શ્રાવણ મહિનામાં ખાસ કરીને સોમવારે હિન્દુ ધર્મમાં ભગવાન શિવના દર્શન કરવાનું ખાસ મહત્વ છે. ૨૦૧૭માં સોમવાર શ્રાવણ માસનો પ્રથમ દિવસ હતો અને તે જ દિવસે અમરનાથયાત્રીઓ પર આ આક્રમણ કરવામાં આવ્યું હતું.
૨૦૧૭ અમરનાથ આતંકી હુમલો | |
---|---|
સંબંધિત: કાશ્મીર સંઘર્ષ | |
કાશ્મીરમાં અનંતનાગ જિલ્લો જ્યાં હુમલો થયો હતો. | |
સ્થાન | અનંતનાગ જિલ્લો, જમ્મુ અને કાશ્મીર, ભારત[1] |
તારીખ | July 10, 2017 રાત્રે ૮:૨૦ (ભારતીય માનક સમય) |
લક્ષ્ય | અજાણ્યું, અમરનાથ યાત્રીઓથી ભરેલી ગુજરાતની બસ[2] |
હુમલાનો પ્રકાર | અંધાધુંધ ગોળીબાર |
શસ્ત્રો | બંદૂકો અને ગોળીઓ |
મૃત્યુ | ૭ |
ઘાયલ | ૧૯ |
પીડિતો | હિંદુ યાત્રાળુઓ |
અપરાધીઓ | લશ્કર-એ-તૈયબા (જવાબદારી નકારી છે)[3] |
હુમલાખોરો | ૩ - ૫ આતંકવાદીઓ; પાકિસ્તાની અને કેટલાંક કાશ્મીરીઓ સમેત[4] |
આરોપી | અબુ ઈસ્માઈલ (લશ્કર-એ-તૈયબાનો કમાંડર અને હુમલાનું મુખ્ય ભેજું)[5] |
રાત્રે ૮:૧૫ વાગ્યે પ્રથમ ત્રણ આતંકવાદીઓએ અર્ધ સૈનિક બળની છાવણી પર આક્રમણ કર્યું અને ૮:૨૦ વાગ્યે ખાનાબલ પાસે ગુજરાતના અમરનાથ યાત્રીઓથી ભરેલી બસ પર અંધાધૂંધ ગોળીબાર કરીને હુમલો કર્યો હતો.[9] આ બસ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની હતી. આ બસન અમરનાથ શ્રાઇન બૉર્ડમાં સામેલ ન થઈ હોવાના કારણે તેને સુરક્ષા આપવામાં આવી નહોતી જેના કારણે બસ એકલી જ અમરનાથ યાત્રીઓને દર્શન કરાવીને જમ્મુ તરફ પ્રસ્થાન કરી રહી હતી ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. બસમાં બેસેલા મુસાફરો પર આતંકવાદીઓ દ્વારા ગોળીઓનો વરસાદ વરસાવવામાં આવ્યો જેના કારણે ૭ યાત્રીઓના મૃત્યુ થયા હતા અને ૩૨ યાત્રીઓ ગંભીર રીતે ઘવાયા હતા. આ બસમાં કુલ ૫૬ યાત્રીઓ હતા જે ગુજરાત, દીવ, દમણ અને મહારાષ્ટ્રના રહેવાસીઓ હતા. ૯ મૃતકોમાં ૫ સ્ત્રીઓ હતી.[10] ૭માંથી ૫ મૃતકો ગુજરાતી અને ૨ મરાઠી હતા.
આતંકવાદી હુમલાની શરુઆત ત્રણમાંથી એક આતંકવાદી દ્વારા કરવામાં આવી હતી, જેને ઇસ્માઇલના નામે ઓળખી કાઢવામાં આવ્યો છે. તે એક મોટરસાઇકલ પર આવ્યો હતો. હુમલા પછી હુમલાવરો અરવાની તરફ ભાગી ગયા હતા જ્યાં તેમણે કેન્દ્રિય અનામત પોલીસ દળની છાવણી પર હુમલો કર્યો હતો.[11]
જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યું કે હુમલામાં પાકિસ્તાન સ્થિત ઇસ્લામી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો હાથ છે.[12] પરંતુ, ઇસ્માઇલને પોતાના દળનો આતંકવાદી ન બતાવીને લશ્કર-એ-તૈયબાએ આ ઘટનામાં પોતાનો હાથ હોવાની વાતનો ઇનકાર કરી દીધો છે અને એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભારત સરકાર લશ્કરના મુક્ત કાશ્મીર આંદોલનમાં વિઘ્ન લાવવા માટે આ હુમલામાં લશ્કર-એ-તૈયબાને દોષી ગણાવી રહી છે.[13] આ પૂર્વે ૨૦૦૮ મુંબઈ હુમલો[14], પઠાણ ચોક હુમલો[15] [16] [17] અને ઉરી હુમલો[18]થયો હતો જેની જવાબદારી સ્વીકારનાર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ આ ઘટનાને ઇસ્લામિક ગણાવીને ભારત સરકારે જ આ આક્રમણ કરાવ્યું હોવાનો પ્રતિઆરોપ લગાવ્યો હતો.[19] [20] આતંકવાદી ઇસ્માઇલ પાકિસ્તાની હોવાની વાતની પણ પુષ્ટિ થઈ શકી નહોતી.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાની આકરી ટીકા કરી હતી અને કહ્યું કે, "ભારત આવા કાયરતાપૂર્ણ હુમલાઓ અને નાપાક મનસૂબાઓની આગળ ઝૂકશે નહીં."[21] આ ઉપરાંત રાજનીતિજ્ઞો રાજનાથસિંહ, મહેબૂબા મુફતી, રામનાથ કોવિંદ, અને ઓમર અબ્દુલ્લાએ આ ઘટનાની નિંદા કરી હતી.
ગુજરાતમાં વિરોધ અને શ્રદ્ધાસુમન | ||||||||||
|
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.