હિતોપદેશ
સંસ્કૃત બોધકથા સંગ્રહ / From Wikipedia, the free encyclopedia
હિતોપદેશ ભારતીય જનમાનસ તથા પરિવેશથી પ્રભાવિત ઉપદેશાત્મક કથાઓ છે. હિતોપદેશની કથાઓ અત્યંત સરલ અને સુગ્રાહ્ય છે. વિભિન્ન પશુ-પક્ષીઓ પર આધારિત કથાઓ તેની ખાસ-વિશેષતા છે. રચયિતાએ આ પશુ-પક્ષીઓના માધ્યમથી કથાશિલ્પની રચના કરી છે. જેની સમાપ્તિ કોઇ બોધજનક વાતથી થાય છે. પશુઓને નીતિની વાતો કરતા દેખાડેલ છે.[1] બધી કથાઓ એક-બીજા સાથે સંકળાયેલ જણાય છે.