મહારાષ્ટ્ર રાજ્યમાં એક પહાડી કિલ્લો From Wikipedia, the free encyclopedia
સુધાગઢ કિલ્લો (જે ભોરપગઢ પણ કહેવાય છે[1]) મહારાષ્ટ્ર રાજ્યના રાયગઢ જિલ્લા સ્થિત એક પહાડી ગઢ છે. તે પુના થી ૫૩ કિલોમીટર (૩૩ માઈલ) પશ્ચિમ દિશામાં, લોનાવાલાથી ૨૬ કિલોમીટર (૧૬ માઇલ) દક્ષિણ દિશામાં, પાલીથી ૧૧ કિલોમીટર (૬.૮ માઈલ) પૂર્વ દિશામાં રાયગઢ જિલ્લામાં સ્થિત છે. આ કિલ્લાના પર્વતની ટોચ દરિયાની સપાટી પરથી ૬૨૦ મીટર ઊંચાઈ પર આવેલ છે[2]. તાજેતરના કેટલાંક વર્ષોમાં આ કિલ્લાની ચોતરફના અડીને આવેલા વિસ્તારને સુધાગઢ વન્યજીવન અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલ છે.
સુધાગઢ કિલ્લો | |
---|---|
લોનાવાલાની ટેકરીઓનો ભાગ | |
રાયગઢ જિલ્લો, મહારાષ્ટ્ર | |
સુધાગઢ કિલ્લો | |
અક્ષાંશ-રેખાંશ | 18°32′19.8″N 73°19′13.3″E |
પ્રકાર | પહાડી કિલ્લો |
ઊંચાઈ | 590 |
સ્થળની માહિતી | |
આધિપત્ય | ભારત સરકાર |
નિયંત્રણ | અહમદનગર (1521-1594) પોર્ટુગીઝ શાસન (1594) મરાઠા સામ્રાજ્ય (1739-1818) યુનાઇટેડ કિંગડમ |
જાહેરજનતા માટે ખૂલ્લું | yes |
સ્થિતિ | અવશેષો/ ખંડેર |
સ્થળ ઈતિહાસ | |
વપરાશમાં? | રાજધાની કિલ્લો |
બાંધકામ સામગ્રી | પથ્થર |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.