સામાજિક સાહસિકતા
From Wikipedia, the free encyclopedia
સામાજિક સાહસિકતા એ સામાજિક સાહસિક નું કાર્ય છે. સામાજિક સાહસિક સામાજિક પ્રશ્નને ઓળખીને સામાજિક પરિવર્તન (સામાજિક સાહસ) સિદ્ધ કરવા માટે તેને વ્યવસ્થિત કરવા, સર્જન કરવા અને સાહસનું નિયમન કરવા માટે સાહસના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે. વેપારિક સાહસિક સામાન્ય રીતે નફા અને વળતરની રીતે તેના પ્રદર્શનને માપે છે, જ્યારે સામાજિક સાહસિક સામાજિક મૂડીના સર્જન પર તેનું ધ્યાન કેન્દ્રિત કરે છે. આમ, સામાજિક સાહસિકનો મુખ્ય ઉદ્દેશ સામાજિક અને પર્યાવરણીય લક્ષ્યાંકોને આગળ વધારવાનો હોય છે. જો કે, સામાજિક સાહસિકો સામાન્ય રીતે સ્વયંસેવી તથા બિન-નફાકારક ક્ષેત્રો સાથે સંકળાયેલા હોય છે,[1] પરંતુ તેનો અર્થ એ નથી કે તેમાંથી નફો થતો નથી. વૈશ્વિક દૃષ્ટિકોણ અથવા આંતરરાષ્ટ્રીય પરીપ્રેક્ષ્ય સાથેની સામાજિક સાહસિકતાને આંતરરાષ્ટ્રીય સામાજિક સાહસિકતા કહેવામાં આવે છે.[2].
![]() | વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |