![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/03/Efez_Celsus_Library_3_RB.jpg/640px-Efez_Celsus_Library_3_RB.jpg&w=640&q=50)
શાણપણ
From Wikipedia, the free encyclopedia
શાણપણ એ લોકો, ચીજવસ્તુઓ, પ્રસંગો અથવા પરિસ્થિતિઓ અંગેની એવી ઊંડી સમજણ અને પ્રતીતિ છે, જે સાતત્યપૂર્વક લઘુત્તમ સમય અને ઊર્જામાં મહત્તમ પરિણામો આપવા માટે માણસની પસંદગી કરવાની અથવા એ અનુસાર વર્તવાની ક્ષમતા તરીકે વ્યક્ત થાય છે. પોતાનાં અનુમાનો અને જ્ઞાનને શ્રેષ્ઠતમ રીતે (અસરકારક અને કાર્યક્ષમ રીતે) લાગુ પાડવાની ક્ષમતા અને એ રીતે ઇચ્છિત પરિણામો સર્જવા માટેની ક્ષમતા તે શાણપણ છે. શાણપણ એ શું સાચું અથવા ઉચિત છે તેનું આકલન કરવાની અને તે અનુસાર સારામાં સારો નિર્ણય લેવાની અને તેને વ્યવહારમાં મૂકવાની ક્ષમતા છે. તેનાં સમાનાર્થી છેઃ ડહાપણ, પારખવાની શકિત અથવા અંતર્દષ્ટિ. શાણપણ મોટા ભાગે લાગણીશીલ પ્રતિક્રિયાઓ ("ઉત્કટતા"/આવેગો) પર નિયંત્રણ માગે છે જેથી વ્યકિતનું આચરણ નિશ્ચિત કરવા પર સિદ્ધાન્તો, તર્ક અને જ્ઞાનનું પ્રભુત્વ રહી શકે.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/03/Efez_Celsus_Library_3_RB.jpg/640px-Efez_Celsus_Library_3_RB.jpg)