વિનોબા ભાવે
હિંસા અને માનવાધિકારના ભારતીય હિમાયતી / From Wikipedia, the free encyclopedia
વિનોબા ભાવે જે માનપૂર્વક આચાર્ય વિનોબા ભાવે (૧૧ સપ્ટેમ્બર ૧૮૯૫- ૧૫ નવેમ્બર ૧૯૮૨) તરીકે પણ ઓળખાય છે તેમનું જન્મ સમયનું નામ વિનાયક નરહરી ભાવે હતું. એમનો જન્મ મહારાષ્ટ્રના ગાગોદા ખાતે થયો હતો. તેમણે દશ વર્ષની કુમળી વયે જ આજીવન બ્રહ્મચર્ય અને લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા કરી હતી. એમને ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી માનવામાં આવે છે. એમણે પોતાનાં જીવનનાં આખરી વર્ષો પુનાર, મહારાષ્ટ્ર ખાતેના આશ્રમમાં ગુજાર્યાં હતાં. ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીને 'અનુશાસન પર્વ' કહેવાને કારણે તેઓ વિવાદનું કેન્દ્ર પણ બન્યા હતા. તેઓ ‘ભૂદાન' ચળવળના પ્રણેતા હતા.
Quick Facts વિનોબા ભાવે, જન્મ ...
વિનોબા ભાવે | |
---|---|
જન્મ | ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૫ |
મૃત્યુ | ૧૫ નવેમ્બર ૧૯૮૨ વર્ધા |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | લેખક |
બંધ કરો