![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/aa/Inside_view_of_Wazir_Khan_Mosque%252C_Lahore..jpg/640px-Inside_view_of_Wazir_Khan_Mosque%252C_Lahore..jpg&w=640&q=50)
વઝીર ખાન મસ્જિદ
From Wikipedia, the free encyclopedia
વઝીર ખાન મસ્જિદ (પંજાબી/ઉર્દૂ: مسجد وزیر خان) એ પાકિસ્તાનના લાહોરમાં આવેલી મસ્જિદ છે જે તેની સુશોભિત ટાઈલ્સના લાદીકામ માટે જાણીતી છે. તેને 'લાહોરના ગાલ પરના તલ' તરીકે ઓળખવામાં આવી છે. મુઘલ શહેનશાહ શાહજહાંના સમયમાં ઈસ્વીસન ૧૬૩૪-૧૬૩૫માં આ મસ્જિદનું કામ શરુ થયું જેને પૂર્ણ થતા સાત વરસ લાગ્યા હતા. ચીનીયોતના વતની શેખ અલીમુદ્દીન અન્સારીએ આ મસ્જિદ બાંધી હતી. તેઓ શાહજહાંના દરબારમાં તબીબ હતા જેઓ બાદમાં લાહોરના સુબા બન્યા હતા. તેઓ સામાન્યતઃ વઝીર ખાન તરીકે જાણીતા છે કારણકે તેમણે વઝીર ખાનનું બિરુદ આપવામાં આવ્યું હતું.[1] આ મસ્જિદ લાહોરના જુના શહેરમાં આવેલી છે અને દિલ્હી દરવાજાથી સરળતાથી પહોંચી શકાય છે. આ મસ્જિદ મુઘલ સમયના કાશાની પદ્ધતિથી કરેલા ટાઈલ્સની કારીગરી માટે જાણીતી છે. કાશાની એ નાના ચમકાવેલા ટાઈલ્સના ટુકડાઓ વડે વિવિધ ચિત્રો, ફૂલો અને આકૃતિઓ બનાવવાની ફારસી પદ્ધતિ છે. આ મસ્જિદને વિશ્વ ધરોહર સ્થળના સંભવિતોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/aa/Inside_view_of_Wazir_Khan_Mosque%2C_Lahore..jpg/640px-Inside_view_of_Wazir_Khan_Mosque%2C_Lahore..jpg)