રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
From Wikipedia, the free encyclopedia
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક ભારતીય દક્ષિણપંથી (જમણેરી) વિચારધારા ધરાવતી, હિન્દુ રાષ્ટ્રવાદી, સ્વયંસેવકોની સંસ્થા છે. ૨૧મી સદીમાં, તે સભ્યપદની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી અને સૌથી વધુ દક્ષિણપંથી (જમણેરી) સંસ્થા છે. તે એક મોટા સંગઠનોનું મૂળ છે તેમજ તેમનું નેતૃત્વ કરે છે, જેને સંઘ પરિવાર તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય સમાજની બધી જગ્યાએ સંઘ પરિવારે તેમની હાજરી વિકસાવી છે, જેમાં ભારતીય જનતા પાર્ટી, કે જે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સત્તારૂઢ રાજકીય પક્ષ સામેલ છે. આર.એસ.એસ. ના સરસંઘચાલક માર્ચ, ૨૦૦૯થી મોહન ભાગવત છે.
પથ સંચાલન, ભોપાલ | |
ટૂંકું નામ | આર.એસ.એસ. |
---|---|
સ્થાપના | ૨૭ સપ્ટેમ્બર ૧૯૨૫ |
સ્થાપક | કે. બી. હેડગેવાર |
પ્રકાર | જમણેરી |
કાયદાકીય સ્થિતિ | સક્રિય |
હેતુ | હિંદુ રાષ્ટ્રવાદ અને હિંદુત્વ[1] |
મુખ્યમથકો | ડો. હેડગેવાર ભવન, સંઘ બિલ્ડીંગ રોડ, નાગપુર, મહારાષ્ટ્ર, ૪૪૦૦૩૨ |
અક્ષાંશ-રેખાંશ | 21.146°N 79.111°E / 21.146; 79.111 |
આવરેલો વિસ્તાર | ભારત |
Membership | |
સરસંઘસંચાલક | મોહન ભાગવત |
સરકાર્યવાહ | દત્રાત્રય હોસબોલે |
જોડાણો | સંઘ પરિવાર |
વેબસાઇટ | www |
૨૭ સપ્ટેમ્બર, ૧૯૨૫ના રોજ સ્થપાયેલી આ સંસ્થાની શરૂઆતની પ્રેરણા હિંદુ સમુદાયને એકતાંતણે બાંધવા અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરવા માટે ચારિત્ર્ય તાલીમ પૂરી પાડવાની અને "હિન્દુ શિસ્ત" કેળવવાની હતી. આ સંગઠનનો હેતુ હિન્દુ સમુદાયને "મજબૂત" બનાવવા માટે હિન્દુત્વની વિચારધારાનો ફેલાવો કરવાનો છે અને ભારતીય સંસ્કૃતિ અને તેના સભ્યતાના મૂલ્યોને જાળવવાના આદર્શને પ્રોત્સાહન આપવાનો છે. બીજી તરફ, આર.એસ.એસ. ને "હિન્દુ સર્વોપરિતાના આધાર પર સ્થાપિત" તરીકે વર્ણવવામાં આવ્યું છે અને તેના પર લઘુમતીઓ વિરોધી (ખાસ કરીને મુસ્લિમ સમુદાય) પ્રવૃત્તિઓની અસહિષ્ણુતાનો આરોપ મૂકવામાં આવ્યો છે.