From Wikipedia, the free encyclopedia
હવાલદાર રાજેશ કુમાર એ ભારતીય ભૂમિસેનાની ૧૧મી પલટણ રાજપૂતાના રાઇફલ્સના સૈનિક હતા.[1] ઓગષ્ટ ૧, ૨૦૦૯ ના રોજ તેઓ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા ખાતે શોધ અને નાશ અભિયાન દરમિયાન ઘાતક ટુકડીનું નેતૃત્વ કરી રહ્યા હતા. કાર્યવાહી દરમિયાન તેમણે ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા અને તેમના સાથીઓના જીવ બચાવ્યા. પરંતુ આમ કરતાં તેઓ ઘાયલ થયા. અંતે તેઓ શહીદ થયા. તેમને આ કાર્યવાહી માટે ભારતનો શાંતિકાળનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર મૃત્યુપર્યંત એનાયત કરાયો.
હવાલદાર રાજેશ કુમાર AC | |
---|---|
જન્મ | લઠ, સોનિપત જિલ્લો, હરિયાણા, ભારત |
મૃત્યુ | ૧ ઓગસ્ટ ૨૦૦૯ કુપવાડા, જમ્મુ અને કાશ્મીર, ભારત |
દેશ/જોડાણ | ભારત |
સેવા/શાખા | ભારતીય ભૂમિસેના |
હોદ્દો | હવાલદાર |
સેવા ક્રમાંક | 2890262H |
દળ | ૧૧મી રાજપૂતાના રાઇફલ્સ |
પુરસ્કારો | અશોક ચક્ર |
પત્નિ | બીતા |
રાષ્ટ્રપતિ દ્વારા અપાયેલ પ્રશસ્તિ પત્ર આ મુજબનું લખાણ ધરાવે છે: હવાલદાર રાજેશ કુમારે અપ્રતીમ સાહસ, બલિદાનની ભાવના દર્શાવતાં આતંકવાદીઓ સામે લડ્યા.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.