મિચ્છામિ દુક્કડં
From Wikipedia, the free encyclopedia
મિચ્છામિ દુક્કડં એ પ્રાચીન પ્રાકૃત ભાષાનો એક રૂઢિ પ્રયોગ છે, જેનો અર્થ - મારા સર્વ પાપ મિથ્યા થાવ - થાય છે.[1]
પ્રતિક્રમણ (જૈન પ્રાર્થના, અર્થાત "મનોમંથન") પછી, જૈનો જાણતા અજાણતા પોતાના દ્વારા પહોંચાડેલા દુ:ખ પીડા આદિની વિશ્વના સર્વે જીવો પાસે ક્ષમા માંગે છે.[2] બહારગામ વસતા મિત્રો અને અને સંબંધીઓ આદિની ફોન દ્વારા માફી મંગાય છે.[3] આ માફી એકબીજાને મિચ્છામિ દુક્ક્ડં કહીને માંગવામાં આવે છે. તેનો અર્થ એ રીતે થાય છે,"જાણતાં કે અજાણતાં, વિચારમાં, શબ્દ દ્વારા કે કોઈ ક્રિયા દ્વારા જો મેં તમને કોઈ પણ રીતે દુઃખ પહોંચાડ્યું હોય તો હું તમારી ક્ષમા માંગુ છું".[2] કોઈ નિજી ઝઘડો કે મતભેદને સંવત્સરીથી વધુ આગળ ખેંચતા નથી.[3]