મહાકાળી ગુફાઓ
ભારતમાં ગુફા / From Wikipedia, the free encyclopedia
મહાકાળી ગુફાઓ (મરાઠી: महाकाली गुंफा) (કોડિવિટે ગુફાઓ તરીકે પણ જાણીતી) એ ખડકમાંથી બનાવેલી ઈસ પૂર્વે ૧લી થી ઈસ ૬થી સદીની ૧૯ ગુફાઓ છે.[1]
મહાકાળી ગુફાઓ | |
---|---|
ગુફા ક્રમાંક ૨ | |
સ્થાન | અંધેરી (પૂર્વ), મુંબઈ |
અક્ષાંશ-રેખાંશ | 19.130436°N 72.874133°E / 19.130436; 72.874133 |
સમુદ્ર સપાટીથી ઊંચાઈ | 70 m (230 ft) |
ભૂસ્તરશાસ્ત્ર | બેસાલ્ટ |
પ્રવેશદ્વાર | ૨૦ |
કઠિનતા | સરળ |
આ બૌદ્ધ મઠ મુંબઈનાં પરાં અંધેરીના પશ્ચિમ ભાગમાં આવેલ છે. આ સ્થાપત્ય ખડકમાંથી કોતરેલી ગુફાઓનો બે સમૂહ ધરાવે છે - ૪ ગુફાઓ ઉત્તર-પશ્ચિમ અને ૧૫ ગુફાઓ દક્ષિણ-પૂર્વમાં આવેલી છે.[2] મોટા ભાગની ગુફાઓ વિહાર અને સાધુઓ માટેનાં ઓરડાઓ ધરાવે છે, પણ દક્ષિણ-પૂર્વની ગુફા ક્રમાંક ૯ ચૈત્ય છે. ઉત્તર-પશ્ચિમની ગુફાઓ મોટાભાગે ૪થી-પમી સદી દરમિયાન બનાવવામાં આવી છે જ્યારે દક્ષિણ-પૂર્વની ગુફાઓ વધુ જૂની છે. અહીં ખડકોને કોતરીને પાણી સંગ્રહ કરવાની ટાંકીઓ પણ બનાવેલ છે.
આ ગુફાઓ કાળા બેસાલ્ટ ખડકોને કોતરીને બનાવવામાં આવી છે. સૌથી મોટી ગુફા (ક્રમાંક ૯) બુદ્ધના સાત રૂપો અને બૌદ્ધ કથાઓના પાત્રો ધરાવે છે, પણ આ બધાં ખરાબ સ્થિતિમાં છે.[3]
આ ગુફાઓ જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડ અને સીપ્ઝ (SEEPZ)ના જોડાણ પર રહેલી છે. આ સ્થળથી અંધેરી-કુર્લા રોડને મહાકાળી ગુફા રોડ નામ આપવામાં આવ્યું છે.[4] અંધેરી સ્ટેશનથી અહીં આવવા માટે BESTની સીધી બસ મળી રહે છે. આ ગુફાઓ તેની આજુ-બાજુ થઈ રહેલ દબાણને કારણે ભયજનક સ્થિતિમાં છે.