ભારતના ૧૩મા પ્રધાનમંત્રી From Wikipedia, the free encyclopedia
ડૉ. મનમોહન સિંહ (પંજાબી: ਮਨਮੋਹਨ ਸਿੰਘ) ભારતના ૧૪મા વડાપ્રધાન હતા. તે એક કુશળ રાજનેતા હોવાની સાથે સાથે એક વિદ્વાન, અર્થશાસ્ત્રી અને વિચારક પણ છે. એક અનુભવી અર્થશાસ્ત્રીનાં રુપમાં તેમની ઓળખ વધુ છે. તેમની કુશળ અને ઈમાનદાર છબીને કારણેજ લગભગ દરેક રાજનૈતિક દળોમાં તેમની સારી શાખ છે. ૨૦૦૯માં થયેલી લોકસભાની ચુંટણીમાં મળેલી જીત પછી, તેઓ જવાહરલાલ નેહરુ પછીનાં ભારતના પહેલા એવા વડાપ્રધાન બન્યા છે કે જેમને એક વખત પાંચ વર્ષનો કાર્યકાળ સફળતા પૂર્વક પૂર્ણ કર્યા પછી ફરી વખત વડાપ્રધાન પદ પ્રાપ્ત થયું હોય. તેમને જૂન ૨૧, ૧૯૯૧થી મે ૧૬, ૧૯૯૬ સુધી નરસિંહ રાવની સરકારમાં નાણા મંત્રીનો હોદ્દો પણ સંભાળ્યો હતો. નાણા મંત્રી તરિકે તેમણે ભારતમાં આર્થિક સુધારાઓની શરુઆત કરી. ૨૮ ફેબ્રુઆરીએ તેઓ સાઉદી અરેબિયાની યાત્રા પર ગયા હતા, આ સાથે જ ૧૯૮૨ બાદ સાઉદી અરબની યાત્રા કરનારા તેઓ પહેલા વડાપ્રધાન બન્યા છે.
ડૉ. મનમોહન સિંહ | |
---|---|
ડૉ. મનમોહન સિંહ, ૨૦૦૯ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ માં. | |
ભારતના ૧૩ મા વડાપ્રધાન | |
પદ પર ૨૨ મે ૨૦૦૪ – ૨૬ મે ૨૦૧૪ | |
રાષ્ટ્રપતિ | ડૉ. એ પી જે અબ્દુલ કલામ પ્રતિભા પાટીલ પ્રણવ મુખર્જી |
પુરોગામી | અટલ બિહારી વાજપેયી |
અનુગામી | નરેન્દ્ર મોદી |
ભારતના ૧૬મા કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રી | |
પદ પર ૨૨ મે ૨૦૦૪ – ૨૬ મે ૨૦૧૪ | |
પુરોગામી | લાલકૃષ્ણ અડવાણી |
અનુગામી | નરેન્દ્ર મોદી |
વિરોધ પક્ષ નેતા (રાજ્ય સભા) | |
પદ પર ૨૧ માર્ચ ૧૯૯૮ – ૨૧ મે ૨૦૦૪ | |
પુરોગામી | સિકંદર બખ્ટ |
અનુગામી | જસવંત સિંહ |
અંગત વિગતો | |
જન્મ | મનમોહન સિંહ 26 September 1932 ગહ, પંજાબ, અંગ્રેજ ભારત (હાલમાં પંજાબ, પાકિસ્તાન) |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
જીવનસાથી | ગુરુષ્ચરન કૌર |
નિવાસસ્થાન | ૩, મોતીલાલ નહેરૂ માર્ગ, નવી દિલ્હી |
માતૃ શિક્ષણસંસ્થા | પંજાબ યુનિવર્સિટી કેમ્બ્રિજ યુનિવર્સિટી ઓક્સફોર્ડ યુનિવર્સિટી |
મનમોહન સિંહનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ૨૬ સપ્ટેઁબર ૧૯૩૨ના થયો હતો. દેશના વિભાજન બાદ તેમનો પરિવાર ભારત ચાલી આવ્યો. અહીઁ પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી તેમણે સ્નાતક તથા સ્નાતકોત્તર સ્તરનો અભ્યાસ પૂરો કર્યો. બાદમાં તેઓ કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય ગયા, જ્યાંથી તેમણે પી.એચ.ડી. કરી. આ પછી તેમણે ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયમાંથી ડી.ફિલ. પણ કર્યુઁ. તેમનું પુસ્તક ઇંડિયાઝ એક્સપોર્ટ ટ્રેંડ્સ એંડ પ્રોસ્પેક્ટ્સ ફૉર સેલ્ફ સસ્ટેંડ ગ્રોથ, (અંગ્રેજી: India's Export Trends and Prospects for Self-Sustained Growth), ભારતની અન્તર્મુખી વ્યાપાર નીતિની પહેલી અને તિવ્ર આલોચના મનાય છે. ડો. સિંહે અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે ઘણી ખ્યાતિ મેળવી. તેઓ પંજાબ વિશ્વવિદ્યાલય અને બાદમાં પ્રતિષ્ઠિત દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં પ્રધ્યાપક રહ્યાં. આ વચ્ચે તેઓ UNCTAD સચિવાલયમાં સલાહકાર પણ રહ્યાં અને ૧૯૮૭ તથા ૧૯૯૦માં જીનીવામાં સાઉથ કમીશનમાં સચિવ પણ રહ્યાં છે. ૧૯૭૧માં ડો. સિંહની ભારતના નાણા મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે નિમુણક કરવામાં આવી. આના તુરંત બાદ ૧૯૭૨માં તેમને નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર બનાવાયા. આ બાદના વર્ષોંમાં તેઓ યોજના આયોગના ઉપાધ્યક્ષ, ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર, વડાપ્રધાનના સલાહકાર અને વિશ્વવિદ્યાલય અનુદાન આયોગના અધ્યક્ષ રહ્યાં છે. ભારતના આર્થિક ઇતિહાસમાં હાલના વર્ષોમાં સૌથી મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે ડો. સિંહ ૧૯૯૧થી ૧૯૯૬ સુધી ભારતના નાણા મંત્રી રહ્યાં. તેમને ભારતના આર્થિક સુધારાના પ્રણેતા મનાય છે. ડો. સિંહના પરિવારમાં તેમની પત્ની શ્રીમતિ ગુરશરણ કૌર અને તેમની ત્રણ પુત્રીઓ છે.
તેઓ અંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ અને એશિયાઈ વિકાસ બેંક માટે પણ કામ કરી ચુક્યા છે.
ભારતના સાર્વજનિક જીવનમાં ડો. સિંહને ઘણાં પુરસ્કાર અને સન્માન મળ્યાં છે . આમાં પ્રમુખ છે:
ડો. સિંહ એ ઘણાં રાષ્ટ્રીય અને અંતર્રાષ્ટ્રીય સંગઠનોં માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુઁ છે . પોતાના રાજનૈતિક જીવન માં તેઓ ૧૯૯૧ થી રાજ્ય સભાના સાંસદ રહ્યાં છે અને ૧૯૯૮ તથા ૨૦૦૪ માં સંસદમાં વિપક્ષના નેતા રહી ચુક્યાં છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.