![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/9/9a/Aquaculturechile.jpg&w=640&q=50)
મત્સ્યઉછેર
From Wikipedia, the free encyclopedia
ફિનફિશ, મૉલસ્ક, ક્રસ્ટેશન અને જળચર વનસ્પતિઓ જેવા મીઠા પાણી અને ખારા પાણીના સજીવોનું સંવર્ધન/ઉછેર કરવાને જળચરઉછેર કહે છે.[1][2] જળચર-ખેતી તરીકે પણ જાણીતા એવા આ જળચરઉછેરમાં જળચર સજીવોને નિયંત્રિત સ્થિતિમાં ઉછેરવામાં આવે છે, અને તેથી તે વ્યવસાયિક માછીમારી કરતાં અલગ પડે છે, જેમાં જંગલી માછલીઓને પકડવામાં આવે છે.[3] વ્યાવસાયિક જળચરઉછેર મનુષ્યો દ્વારા સીધા ઉપભોગમાં લેવાતાં માછલાં અને ઝીંગા-કરચલા જેવી શેલફિશોનો અડધોઅડધ જથ્થો પૂરો પાડે છે.[4]
![કિનારાને અડોઅડ આવેલી ઈમારતો અને પાર્શ્વદૃશ્યમાં જંગલ-આચ્છાદિત ટેકરી સાથેની કિનારાપટ્ટીની તસવીર.](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/9a/Aquaculturechile.jpg/300px-Aquaculturechile.jpg)
દરિયાઈ વાતાવરણમાં થતા જળચરઉછેરને દરિયાઈઉછેર તરીકે ઓળખવામાં આવે છે. જળચરઉછેરના વિશેષ પ્રકારોમાં શેવાળઉછેર (દરિયાઈ વનસ્પતિ કૅલ્પ/સીવીડ અને અન્ય શેવાળનું ઉત્પાદન), મત્સ્યઉછેર, ઝીંગાંઉછેર, કાલવ(ઑઈસ્ટર)ઉછેર, કૃત્રિમ મોતી ઉછેરવા અને સુશોભન માછલીઓના ઉછેર અને વેચાણનો સમાવેશ થાય છે. તે માટેની વિશેષ પદ્ધતિઓમાં મત્સ્યઉછેર અને વનસ્પતિઉછેરને સાંકળતી, ઍક્વાપોનિક્સનો સમાવેશ થાય છે.