બેલૂર મઠ
From Wikipedia, the free encyclopedia
બેલૂર મઠ ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલ પશ્ચિમ બંગાળરાજ્યમાં હુગલી નદીના પશ્ચિમ કિનારા પર બેલૂર ખાતે સ્થિત છે. અહીં રામકૃષ્ણ મિશન તથા રામકૃષ્ણ મઠનાં મુખ્યાલયો આવેલ છે. આ મઠના વાસ્તુમાં હિંદુ, ઈસ્લામ તથા ખ્રિસ્તી તત્ત્વોનું સંમિશ્રણ કરવામાં આવેલ છે, જે ધર્મોની એકતાનું પ્રતીક છે. આ મઠ સંકૂલની સ્થાપના ઈ. સ. ૧૮૯૭ના વર્ષમાં સ્વામી વિવેકાનંદે કરી હતી.