વાતાવરણલક્ષી દબાણને માપવા માટે ઉપયોગમાં લેવામાં આવતુ એક વૈજ્ઞાનિક સાધન છે From Wikipedia, the free encyclopedia
બેરોમીટર એ વાતાવરણલક્ષી દબાણને માપવા માટે ઉપયોગમાં લેવામાં આવતુ એક વૈજ્ઞાનિક સાધન છે. તે પાણી, હવા અથવા પારાના ઉપયોગ દ્વારા વાતાવરણ દ્વારા અમલમાં લેવાયેલ દબાણ માપી શકાય છે. દબાણ વલણ હવામાનમાં ટૂંકા ગાળાના ફેરફારોની આગાહી કરી શકે છે. હવાના દબાણના સંખ્યાબંધ માપનો પ્રવાહી સપાટીના પાણીના નિકાલ માટેની નીક, ઉચ્ચ દબાણ તંત્રો, અને આગળની મર્યાદાઓ શોધવા મદદ કરવા માટે સપાટીના હવામાન વિશ્લેષણ સાથે ઉપયોગ કરવામાં આવે છે.
જોકે ઇવાન્જેલીસ્ટા ટોરીસેલીને 1643 માં બેરોમીટરની શોધ સાથે સાર્વત્રિક રીતે ખ્યાતિ આપવામાં આવી છે.[1][2][3], બે અન્ય નોંધપાત્ર પ્રયત્નો ટાંકવા જ જોઇએ. ઐતિહાસિક દસ્તાવેજીકરણ પણ ઇટાલીયન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી ગાસ્પેરો બર્ટીનું આશરે 1640 અને 1643 વચ્ચે બિનઇરાદાથી બાંધેલ પાણીનું બેરોમીટર યંત્રની ભલામણ કરે છે.[1][4] ફ્રેંચ વૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક રેને ડેકાર્ટ્સે 1931 ની શરૂઆતમાં વાતાવરણનું દબાણ નક્કી કરવા માટેના પ્રયોગની યોજના વર્ણવેલી છે, પરંતુ તેમણે તે સમયે કાર્યરત બેરોમીટર બનાવેલું તેનો કોઇ પુરાવો નથી.[1]
27 જુલાઇ,1630 ના રોજ જીયોવાની બાટીસ્ટા બાલીનીએ ગેલીલીયો ગેલીલીને પત્ર લખ્યો જેમાં તેમણે બનાવેલ બકનળી, આશરે એકવીસ મીટર ઊંચી સીસામાંથી ટંકાયેલ ટેકરીનો પ્રયોગ જે કાર્ય કરવામાં નિષ્ફળ ગયો તેનું વર્ણન કરેલ. ગેલીલીયોએ ઘટનાના સ્પષ્ટીકરણ સાથે પ્રતિક્રિયા આપી: તેમણે પ્રસ્તાવ મૂક્યો કે શૂન્યાવકાશની શક્તિ પાણીને ઉપર તરફ રાખે છે અને ચોક્કસ ઊંચાઇએ (આ કિસ્સામાં, ચોત્રીસ ફુટ) પાણીની માત્રા સરળ રીતે ઘણી વધે છે, જેમ કે તેનું બળ ફક્ત ખૂબ સરળ વજનને આધાર આપતા દોરડા જેટલું વધારે નથી હોતું.[5]
ગેલીલીયોના વિચારો તેના ડિસ્કોર્સી (Discorsi) માં ડિસેમ્બર 1638 માં રોમ પહોંચ્યા. રાફેલ મેગીઓટી અને ગાસ્પેરો બર્ટી આ વિચારોથી ઉત્તેજીત થઇ ગયા અને બકનળી કરતાં વધુ સારી રીતે શૂન્યવકાશ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરવાનો નિર્ણય કર્યો. મેગીઓટીએ આ પ્રકારના પ્રયોગની યોજના ઘડી, અને 1639 અને 1641 ના સમય વચ્ચે, બર્ટી (મેગીઓટી, એથાનાસિયસ કિર્ચર અને નિકોલો ઝુકી સાથે) તેને અમલમાં મૂકી.[5]
બર્ટીના પ્રયોગના ચાર ખુલાસા પ્રગટ થયા, પરંતુ તેના પ્રયોગનો સાદો નમૂનો બંને છેડે બૂચ દઇને બંધ કરેલ પાણીથી ભરેલ લાંબી નળીનો બનેલો હતો, પછી પહેલાંથી પાણી ભરેલ વાસણમાં નળી ઊભી રાખી. નળીનો નીચેનો છેડો ખુલ્લો રાખવામાં આવ્યો, અને તેની અંદર રહેલું પાણી વાસણમાં વહી ગયું. જોકે ફક્ત નળીમાંના પાણીનો થોડો ભાગ બહાર વહ્યો, અને નળીની અંદર રહેલ પાણીનું સ્તર ચોક્કસ સ્થળે અટક્યું, જે બેલીઆની અને ગેલીલીયોનો બકનળી દ્વારા નિયંત્રિત કરી નિરીક્ષણ કરવામાં આવેલ ઊંચાઇ જેટલી ચોત્રીસ ફુટની સમાન ઊંચાઇ બની હતી. આ પ્રયોગ વિશે ખુબ જ મહત્વની બાબત એ હતી કે નીચે ઉતરતુ પાણી નળીમાં ઊંચે જે જગ્યા છોડતુ હતું તેને ભરાવા માટે હવા સાથે કોઇ આંતરીક સંબંધ નહોતો. આ પાણીની ઉપરની જગ્યામાં શૂન્યાવકાશ હોવાની શક્યતા સૂચવવા જેવી લાગી હતી.[5]
ગેલીલીયોનો મિત્ર અને વિદ્યાર્થી, ટોરીસેલીએ, સમગ્ર સમસ્યાને જુદા દ્રષ્ટિકોણથી જોવાની હિંમત કરી. પાણી બેરોમીટર સાથેના પ્રયોગના સંદર્ભમાં 1644 માં માઇકલેન્જેલો રીકીને પત્રમાં તેણે લખ્યું:
ઘણાએ કહ્યું કે શૂન્યાવકાશ અસ્તિત્વ નથી ધરાવતો, બીજાઓ કહે છે કે તે ખુબ મુશ્કેલી સાથે અને પ્રકૃતિના અગણમાને બદલે અસ્તિત્વ ધરાવે છે; હું એવી કોઇ વ્યક્તિને ઓળખતો નથી જેણે કહ્યું હોય કે તે મુશ્કેલી વિના અને પ્રકૃતિની પ્રતિકૂળતા વિના અસ્તિત્વ ધરાવે છે. મેં આમ દલીલ કરી: જો અનુભવાતા અવરોધોને બહાર કાઢી નાખવા માટે સ્પષ્ટ કારણ શોધી શકાય. જો આપણે શૂન્યાવકાશ બનાવવાનો પ્રયત્ન કરીએ, બીજા કોઇ અન્ય કારણોથી સ્પષ્ટ રીતે અનુસરાતા તે કાર્યો શૂન્યાવકાશને લીધે છે તેમ માની લેવાનો પ્રયત્ન મને મૂર્ખતા લાગે છે; અને તેથી થોડી વધુ સરળ ગણતરી બનાવીને, મેં શોધ્યું કે મારા દ્વારા નક્કી કરાયેલ કારણ (જે વાતાવરણનું વજન છે) આપણે જ્યારે શૂન્યાવકાશ ઉત્પન્ન કરવા પ્રયત્ન કરીએ છીએ તેના કરતાં વધુ અવરોધ દર્શાવતા પોતે એકલા ઘણી શક્યતા બતાવે છે.[6]
તે પારંપરિક રીતે વિચારાયેલ છે કે (ખાસ કરીને એરીસ્ટોટેલીયનો દ્વારા) હવાને સંબંધિત વજન હોતુ નથીઃ જે આપણાથી ઊંચે માઇલોની હવા આપણા સ્તરની હવા ઉપર ઓછી જોખાતી નથી. ગેલેલીયોએ પણ સરળ સત્ય તરીકે હવાનું હલકાપણું સ્વીકાર્યું હતુ. ટોરીસેલીએ તે ધારણા પ્રત્યે પ્રશ્ન કર્યો અને તેના બદલે પ્રસ્તાવ મૂક્યો કે હવાને વજન હતુ, અને તે હવાનું વજન હતુ (શૂન્યાવકાશનું ખેંચાયેલું બળ નહીં) જે પાણીના સ્તંભને ઉપર લાવે (કે દબાવે) છે. તેણે વિચાર્યું કે જે સ્તરે પાણી અટક્યું છે (ચોત્રીસ ફૂટ) તે તેના ઉપર દબાણ કરાયેલ હવાના વજનના બળના પ્રત્યાઘાતી હતા (ખાસ કરીને, વાસણમાં પાણી ઉપર દબાણ કરવું અને તેથી નળીમાંથી જેટલું પાણી પડી શકે તેને નિયંત્રિત કરવું). બીજા શબ્દોમાં, તેણે સમતોલન તરીકે બેરોમીટરને જોયું, માપન માટેનું સાધન (શૂન્યાવકાશ સર્જવા માટેના ફક્ત સાધનના વિરોધી તરીકે), અને કારણ કે તે આ રીતે જોવાવાળી પ્રથમ વ્યક્તિ હતી, પારંપરિક રીતે તેને બેરોમીટરના શોધક માનવામાં આવ્યા (એટલે કે આપણે જે અર્થમાં હવે પરિભાષાનો ઉપયોગ કરીએ છીએ તેમાં).[5]
ટોરીસેલીની નિંદા કરનાર ઇટાલીયન પડોશમાં તે કોઇ મેલીવિદ્યા કે જાદુગરના પ્રકારમાં જોડાયેલો હતો તેવી અફવાઓને કારણે ટોરીસેલીએ અનુભવ્યું કે તેણે પોતાના પ્રયોગો છૂપાવીની રાખવા અથવા ધરપકડ થવાના જોખમને દૂર રાખવું. તેને પાણી કરતાં વધુ ભારે પ્રવાહીની જરૂર હતી, અને ગેલીલીયો સાથેના તેના પહેલાંના સંગઠનો અને સૂચનોથી, પારાના ઉપયોગ દ્વારા તે એવા નિર્ણય પર આવ્યો કે નાનામાં નાની નળી ઉપયોગમાં લઇ શકાશે. પારા સાથે, જેને બાદમાં “quicksilver” કહેવાયો, તે પાણી કરતાં આશરે 14 ગણો વધુ ભારે છે, 35 ફૂટ નહીં પણ ફક્ત 32 ઇંચની નળી હવે જરૂરી હતી.[7]
મરીન મર્સેન કે જને પોતાને 1644 ના અંત સુધીમાં ટોરીસેલી દ્વારા પ્રયોગ દેખાડવામાં આવ્યો તેના દ્વારા ટોરીસેલીના પ્રયોગો વિશે સાંભળ્યા પછી 1646 માં બ્લેઇઝ પાસ્કલ સાથે પીયર પેટાઇટે તેને ફરીથી કર્યો અને ચોક્કસ કર્યો. ત્યારબાદ પાસ્કલે બેરોમીટરમાં પ્રવાહીનો ભેજ ખાલી જગ્યા ભરે છે તેવા એરિસ્ટોટલીયન પ્રસ્તાવને ચકાસવા પ્રયોગની યોજના ઘડી. તેના પ્રયોગે દારૂ સાથે પાણીને સરખાવ્યો, અને પછીનું વધુ ‘દારૂજન્ય’ સાથે સંકળાયેલું હોવાના કારણે, એરિસ્ટોટલીયને દારૂને વધુ નીચું રાખવાની અપેક્ષા રાખી (કારણ વધુ ભેજનો અર્થ પ્રવાહી સ્તંભ પર પડતુ દબાણ). એરિસ્ટોટેલીયનને પહેલાંથી પરિણામ વિશે આગાહી કરવા આમંત્રિત કરી પાસ્કલે જાહેરમાં પ્રયોગ કર્યો. એરિસ્ટોટેલીયને મદ્ય નીચું ઉતરશે તેવી આગાહી કરી. તેમ બન્યુ નહીં.[5]
જોકે પાસ્કલ યાંત્રિક સિદ્ધાંતને ચકાસવા માટે વધુ આગળ ગયો. ટોરીસેલી અને પાસ્કલ જેવા યંત્રવાદી તત્વજ્ઞાનીઓ દ્વારા જણાવ્યા પ્રમાણે જો, હવાને સંબંધિત વજન હતું, તો હવાનું વજન શિરોબિંદુની ઊંચાઇએ ઓછું રહે. તેથી પાસ્કલે Puy de Dome નામના પર્વત નજીક રહેતા પોતાના સાળા ફ્લોરીન પીયરને અગત્યનો પ્રયોગ કરવા માટે પૂછવા લખ્યું. પીયરે Puy de Dome પર બેરોમીટર લઇ જવાનું હતુ અને આખા માર્ગે પારાના સ્તંભની ઊંચાઇના માપનો લેવાના હતા. ઉપર લીધેલા પેલા માપનો ખરેખર વધુ નાનાં હતા તે જોવા મળે ત્યાર પછી તેણે પર્વતના તળીયે લીધેલા માપનો સાથે તેની સરખામણી કરી. સપ્ટેમ્બર 1648 માં, પીયરે કાળજીપૂર્વક અને વધુ પડતી ચોક્કસાઇવાળો પ્રયોગ કર્યો, અને શોધ્યું કે પાસ્કલની આગાહીઓ સાચી હતી. ઉપર જવાથી પારાનું બેરોમીટર નીચું જોવા મળતું હતુ.[5]
’વાતાવરણીય દબાણને ઓછું કરવું એ તોફાની વાતાવરણની આગાહી કરે છે’ તે ખ્યાલ લ્યુસીયેન વિડી દ્વારા સ્વયંસિદ્ધ સત્ય તરીકે સ્વીકારેલ હતો – અને તે ‘વાવાઝોડા કાચ’ અથવા ‘ગોયેથ બોરોમીટર’ (જેણે જર્મનીમાં તેને પ્રખ્યાત કર્યું હતુ) ના નામથી વાતાવરણીય આગાહી યોજના માટેનો આધાર હતુ. તે અડધું પાણીથી ભરેલું સીલબંધ પાત્ર સાથે કાચનું વાસણ ધરાવે છે. સાંકડી નળી પાણીના સ્તર નીચે બાહ્ય પદાર્થની સાથે જોડાયેલી છે અને પાણીના સ્તરથી ઉપર ઊંચે દેખાય છે, જ્યાં તે વાતાવરણ માટે ખુલ્લું છે. પાત્ર સીલબંધ હોય તે સમય કરતાં હવાનું દબાણ નીચુ હોય છે ત્યારે નળીના પાણીનું સ્તર પાત્રમાં પાણીના સ્તરથી ઉપર નીચે દેખાશે; જ્યારે પાત્ર સીલબંધ હોય તે સમય કરતાં હવાનું દબાણ ઊંચુ હોય છે ત્યારે નળીના પાણીનું સ્તર પાત્રમાં પાણીના સ્તરથી ઉપર ઊંચે દેખાશે. આ પ્રકારના વિવિધ બેરોમીટર ઘરે સહેલાઇથી બનાવી શકાય છે.[8]
પારાનું બેરોમીટર આશરે 33 ઇંચ (આશરે 84 સેમી.) ઊંચાઇની કાચની નળી ધરાવે છે, જે તળિયાથી ખુલ્લા ભરેલ પારા સાથે પાણીની ટાંકીના, એક છેડે બંધ કરેલ હોય છે. પારાનું વજન ખરેખર નળીના ઉપરના ભાગમાં ભેજ ઉત્પન્ન કરે છે. પારા સ્તંભના વજનને પાણીની ટાંકી પરના ઉપયોગમાં લીધે વાતાવરણીય બળને સમતોલ ન કરે ત્યાં સુધી નળીમાં રહેલ પારો ગોઠવાય છે. ઊંચું વાતાવરણનું દબાણ સ્તંભમાં પારાને વધુ ઊંચું બળ આપતા, પાણીની ટાંકીમાં વધુ બળ સ્થાન લે છે. પાણીની ટાંકી પર રહેલા બળને ઘટાડવાથી સ્તંભમાં નીચુ દબાણ પારાને નીચા સ્તરે લઇ જવાની અનુમતિ આપે છે. સાધનમાં ઊંચું તાપમાન પારાની ઘનતાને ઘટાડશે તે કારણે, માપનના વાંચન માટે પારાની ઊંચાઇ આ અસર માટે સરભર કરવા ગોઠવવામાં આવે છે. ટોરીસેલીએ નોંધ્યું હતુ કે બેરોમીટરમાં પારાની ઊંચાઇ દરરોજ થોડો થોડી બદલાય છે અને નિર્ણય કર્યો કે તે વાતાવરણમાં દબાણના પરિવર્તનને કારણે હતુ.[1] તેમણે લખ્યું : "આપણે પ્રાથમિક હવાના સમુદ્રના તળિયે પાણીની સપાટી હેઠળ રહીએ છીએ, જે વજન હોવા માટેના વાદવિવાદ વિનાના પ્રયોગ તરીકે ઓળખાય છે."
પારાના બેરોમીટરની ડિઝાઇન ઇંચ કે મીલીમીટરમાં વાતાવરણીય દબાણની પ્રતિક્રિયાને ઊંચે લાવે છે (ટોર): દબાણ ઉર્ધ્વ સ્તંભમાં પારાની ઊંચાઇના સ્તર તરીકે ટાંકવામાં આવ્યું છે.1 વાતાવરણ એ પારાના આશરે 29.9 ઇંચ અથવા 760 મીલીમીટર્સ પર સમાન છે. આ એકમનો ઉપયોગ યુનાઇટેડ સ્ટેટ્સમાં આજે પણ પ્રખ્યાત છે, જોકે તે વિશ્વના બીજા વિભાગોમાં SI અથવા મેટ્રીક એકમોની તરફેણમાં વણવપરાયેલું હોય છે. સામાન્ય રીતે આ પ્રકારના બેરોમીટર પારાના 28 અને 31 ઇંચ વચ્ચે વાતાવરણીય દબાણ માપે છે.
ડિઝાઇન સાધનને વધુ સંવેદનશીલ, વાંચવા માટે વધુ સરળ, અને પરિવહન માટે વધુ સરળ બનાવવા માટે પરિવર્તન લાવે છે જે વાસણ, નળી, પૈડાં, પાણીની ટાંકી જેવા પરિવર્તનોમાં પરિણમે છે, ફોર્ટીન, બહુ-ગડી વાળેલ, સ્ટીરીયોમેટ્રીક, અને બેરોમીટર સમતોલ કરે છે. ફિટ્ઝરોય બેરોમીટર થર્મોમીટર સાથે પ્રમાણિત પારાને બેરોમીટર જોડે છે, તે જ રીતે કેવી રીતે દબાણના પરિવર્તનોનું અર્થઘટન કરવું તેનું માર્ગદર્શક છે. ફોર્ટીન બેરોમીટર્સ વિવિધ સ્થળાંતરીત પારાની પાણીની ટાંકીનો ઉપયોગ કરે છે, સામાન્ય રીતે ચામડાની કંપનશીલ તકતીના તળીયા ઉપર દબાવતા થમ્બસ્ક્રુ સાથે બાંધેલ હતુ. આ પરિવર્તનશીલ દબાણ સાથે સ્તંભમાં પારાના સ્થળાંતર માટે ગોઠવાય છે. ફોર્ટીન બેરોમીટર્સનો ઉપયોગ કરવા, દબાણ સ્તંભ ઉપર વાંચતા પહેલાં પારાના સ્તરને શૂન્યના સ્તરે ગોઠવવામાં આવે છે. કેટલાક નમૂનાઓમાં પાણીની ટાંકી બંધ કરવા માટે વાલ્વનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેને પરિવહન માટે સ્તંભની ટોચ પર દબાણ કરવા પારાના સ્તંભ સક્ષમ બનાવે છે. પરિવહનમાં સ્તંભને નુકશાન પહોંચાડતી પાણીની હથોડીને તે અટકાવે છે. 5 જુન, 2007 ના રોજ, યુરોપિયન યુનિયન સૂચનાએ પારાના વેચાણને પ્રતિબંધિત કરવાનો કાયદો ઘડ્યો, તેથી અસરકારક રીતે યુરોપમાં નવાં પારાના બેરોમીટરનું ઉત્પાદન બંધ થયું.
એનેરોઇડ બેરોમીટર નાનાં, એનેરોઇડ સેલ, નામના લવચીક ધાતુના ખોખાંનો ઉપયોગ કરે છે. આ એનેરોઇડ સેલ બેરીલીયમ અને તાંબાની મિશ્રધાતુમાંથી બનાવવામાં આવે છે.[9] સ્થળાંતરીત થયેલા સેલ (અથવા સામાન્ય રીતે વધુ સેલ) મજબૂત કમાન દ્વારા તોડી પાડવાથી અટકાવવામાં આવે છે. બાહ્ય હવાના દબાણમાં નાનાં પરિવર્તનો સેલનો વિસ્તાર કે સંકોચન ઉત્પન્ન કરે છે. આ વિસ્તાર અને સંકોચન એવા યાંત્રિક ઉચ્ચાલન દૂર કરે છે, જે સેલના નાનાં હલનચલન એનેરોઇડ બેરોમીટરના મુખ પર લંબાવવામાં આવે છે અને દેખાડવામાં આવે છે. ઘણાં નમૂનાઓ હાથેથી ગોઠવેલ સોયનો સમાવેશ કરે છે જે હાલના માપનોનું નિરીક્ષણ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે તેથી પરિવર્તન જોઇ શકાય. વધુમાં યંત્રરચના પૂરતી સાવચેતીપૂર્વક ‘કડક’ બનાવવામાં આવે છે, તેથી બેરોમીટરને ટકોરા મારતા નિર્દેશકના હલનચલનને કારણે તે નિષ્પન્ન થાય છે. આ બ્લેઇઝ પાસ્કલ દ્વારા પણ શોધવામાં આવ્યું હતુ.
બેરોગ્રાફ, ઘડિયાલ જેવા યંત્ર દ્વારા ચલાવવામાં આવતા ડ્રમ સાથે જોડવામાં આવેલા ઘુમાડાવાળા વરખ પર સોયના હલનચલન અથવા પાનાં પર પેનના હલનચલન બંને માટે એનેરોઇડ બેરોમીટરની યાંત્રિક રચનાને વાપરી કેટલાંક વાતાવરણીય દબાણવાળા આલેખ નોંધે છે.[10]
વિસ્તારમાં ઉચ્ચ હવાઇ દબાણ સારું હવામાન સૂચવે છે, જ્યારે ઓછું દબાણ વધુ પવન ફૂંકાવાનું સૂચવે છે, આમ બેરોમીટર સામાન્ય રીતે હવામાન આગાહી માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે પવનના નિરીક્ષણો સાથે સંયોજનમાં ઉપયોગમાં લેતા, કારણભૂત રીતે ચોક્કસ ટૂંકાગાળાની આગાહીઓ બનાવી શકાય છે.[11] હવામાન ખાતાના સંકુલોમાંથી તે જ વખતના બેરોમીટરના વાંચનો હવાના દબાણના નકશાઓ ઉત્પન્ન કરવાની મંજૂરી આપે છે, જે 19 મી સદીમાં ઉત્પન્ન કરવામાં આવ્યો ત્યારે આધુનિક હવામાન નકશાનો પ્રથમ પ્રકાર હતો. સમાન વાતાવરણીય દબાણ દર્શાવતા બિંદુઓને જોડતા નકશા (Isobars), જ્યારે સમાન દબાણની રેખાઓ નકશામાં જોવા મળે છે, તે ઉચ્ચ અને નીચાં દબાણના પ્રદેશ દર્શાવતા વિવિધ રંગવાળા ભાગોને બતાવતી રેખાઓનો નકશો આપે છે. સ્થાનિક ઉચ્ચ વાતાવરણીય દબાણ હવામાન તંત્ર સુધી પહોંચવામાં, તેમના ક્રમને બદલવામાં અવરોધ તરીકે વર્તે છે. બીજી તરફ, નીચું વાતાવરણીય દબાણ હવામાન તંત્ર માટે ઓછો અવરોધક માર્ગ દર્શાવે છે, જે તેને એવા પ્રકારનું બનાવે છે કે નીચું દબાણ વધતી પવનની પ્રવૃત્તિઓ સાથે સાંકળવામાં આવશે. પારંપરીક રીતે જો બેરોમીટર નીચું જતુ હોય, તો તે બગડતુ હવામાન અથવા આગાહીઓનો કોઇ પ્રકાર સૂચવે છેઃ આમછતાં, જો બેરોમીટર ઊંચે જતુ હોય, તો સારું હવામાન રહેશે અથવા કોઇ આગાહી નહીં હોય.
પારાની ઘનતા તાપમાન સાથે બદલાશે, આથી વાંચન સાધનના તાપમાન માટે ચોક્કસ રીતે ગોઠવાવું જોઇએ. આ હેતુ માટે પારાનું થર્મોમીટર સામાન્ય રીતે સાધન પર મઢેલું રાખવામાં આવે છે. એનેરોઇડ બેરોમીટરનું તાપમાનનું વળતર યાંત્રિક સાંકળમાં આડ-ધાતુ તત્વ ઉમેરવાથી સફળતાપૂર્વક પૂરું કરવામાં આવે છે. ઘરવપરાશ માટે વપરાયેલ બેરોમીટર્સ ભાગ્યે જ સમસ્યા ઊભી કરે છે.
હવાનું દબાણ દરિયાની સપાટીની ઊંચાઇએ દરિયાઇ સ્તરથી ઊંચે ઘટશે (અને દરિયાઇ સ્તરની નીચે વધશે) તે કારણે, સાધનનું વાસ્તવિક વાંચન તેના સ્થાન ઉપર આધાર રાખશે. આ દબાણ ત્યારબાદ નોંધવાના હેતુ માટે અને એરક્રાફ્ટ અલ્ટીમીટર્સ (હવામાન તંત્રની હાજરી માટે મેળવેલા વિભિન્ન સામાન્ય વાતાવરણીય દબાણના પ્રદેશો વચ્ચે એરક્રાફ્ટ ઉડતુ હોવાના કારણે) ગોઠવવા માટે સમાન સમુદ્રી-સ્તર દબાણમાં બદલવામાં આવે છે. એનેરોઇડ બેરોમીટરને દરિયાની સપાટીની ઊંચાઇ માટે યાંત્રિક ગોઠવણી હોય છે જે પ્રત્યક્ષ રીતે વાંચવા અને જો સાધન વિવિધ દરિયાની સપાટીની ઊંચાઇએ હલનચલન ન કરે તો આગળની ગોઠવણી વિના સમાન સમુદ્રી સ્તરના દબાણની અનુમતિ આપે છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.