બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
ભારતીય નવલકથાકાર, કવિ, નિબંધકાર અને પત્રકાર / From Wikipedia, the free encyclopedia
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અથવા બંકિમચંદ્ર ચેટર્જી (૨૬/૨૭ જૂન ૧૮૩૮ – ૮ એપ્રિલ ૧૮૯૪) એક ભારતીય નવલકથાકાર, કવિ, નિબંધકાર અને પત્રકાર હતા.[4][5] તેઓ ૧૮૮૨ની બંગાળી ભાષાની નવલકથા આનંદમઠના લેખક હતા, જે આધુનિક બંગાળી અને ભારતીય સાહિત્યના સીમાચિહ્નરૂપ છે. તેઓ વંદે માતરમ્ના રચયિતા હતા, જે પ્રચૂર સંસ્કૃત બંગાળી ભાષામાં લખાયેલું હતું, જેમાં બંગાળને એક દેવી તરીકે દર્શાવવામાં આવ્યું હતું અને ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન આ ગીતે કાર્યકરોને પ્રેરણા આપી હતી. ચટ્ટોપાધ્યાયે બંગાળીમાં ચૌદ નવલકથાઓ અને અનેક ગંભીર વ્યંગ્યાત્મક, વૈજ્ઞાનિક અને વિવેચનાત્મક ગ્રંથો લખ્યા છે. તેઓ બંગાળીમાં સાહિત્ય સમ્રાટ (સાહિત્ય સમ્રાટ) તરીકે જાણીતા છે.[6][7][8][9][10]
Quick Facts બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, જન્મનું નામ ...
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય | |
---|---|
જન્મનું નામ | বঙ্কিমচন্দ্র চট্টোপাধ্যায় |
જન્મ | 26 June 1838 [1][2][3] નૈહાતી, બંગાળ પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત (વર્તમાન પશ્ચિમ બંગાળ) |
મૃત્યુ | 8 April 1894(1894-04-08) (ઉંમર 55) કોલકાતા, બ્રિટીશ ભારત (વર્તમાન પશ્ચિમ બંગાળ) |
ઉપનામ | કમલાકાન્તા |
વ્યવસાય | લેખક, કવિ, નવલકથાકાર, નિબંધકાર, પત્રકાર, સરકારી અધિકારી |
ભાષા | બંગાળી, અંગ્રેજી |
માતૃ શિક્ષણ સંસ્થા | કલકત્તા વિશ્વવિદ્યાલય |
સાહિત્યિક ચળવળ | બંગાળ પુનર્જાગરણ |
નોંધપાત્ર સર્જનો | દુર્ગેશનંદિની કપાલકુંડલા દેવી ચૌધરાની આનન્દમઠ વિષવૃક્ષ |
સહી | |
વેબસાઇટ | |
બંકિમ રચનાવલી |
બંધ કરો