પાર્શ્વનાથ
From Wikipedia, the free encyclopedia
પાર્શ્વનાથ, એ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૨૩મા તીર્થંકર છે.[4] તેઓ ઐતહાસિક વ્યક્તિ તરીકે માન્યતા પામેલા સૌથી પ્રાચીન જૈન તીર્થંકર છે.[5][6] તેમના જીવન કાળ વિષે ચોક્ક્સ માહિતી નથી. જૈન ના મતે તેમનો કાળ ખંડ ઈ.પૂ. ૮મી થી ૯મી સદી દર્શાવે છે જ્યારે ઇતિહાસકારો તેમને ઈ.પૂ. ૮મી થી ૭મી સદીમાં મૂકે છે. મહાવીર, નેમિનાથ અને ઋષભદેવ સાથે પાર્શ્વનાથ પણ જૈનોમાં સૌથી વધુ ભક્તિભાવ ધરાવે છે. તેમની મૂર્તિકલામાં માથે દર્શાવાતા બહુ ફેણધારી નાગના છત્રની વિશેષતા હોય છે. તેમની પૂજા અર્ચનામાં ધરણેંદ્ર અને પદ્માવતીની પણ પૂજા (નાગ દેવ અને દેવી) કરવામાં આવે છે.
પાર્શ્વનાથ | |
---|---|
૨૩માં જૈન તીર્થંકર | |
પાર્શ્વનાથની મૂર્તી, ઇ.સ. ૬-૭ સદી, વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમ | |
ધર્મ | જૈન ધર્મ |
પુરોગામી | નેમિનાથ |
અનુગામી | મહાવીર |
પ્રતીક | સાપ[1] |
ઊંચાઈ | ૯ ક્યુબિટ (૧૩.૫ ફીટ)[2] |
ઉંમર | ૧૦૦ વર્ષ |
વર્ણ | લીલા |
વ્યક્તિગત માહિતી | |
આવિર્ભાવ | આશરે ૯મી-૭મી સદી[3] |
દેહત્યાગ | આશરે ૮મી-૭મી સદી[3] શિખરજી |
માતા-પિતા |
|
પાર્શ્વનાથનો જન્મ વારાણસીમાં થયો હતો, તેમણે સંસારનો ત્યાગ કર્યો અને શ્રમણ (સાધુ) સંઘની સ્થાપના કરી. તેમણે સાધુઓ માટે ચાર સંયમની અહિંસા, અચૌર્ય, અસત્ય અને પરિગ્રહના નિયમોની પરંપરા શરૂ કરી. શ્વેતાંબર ગ્રંથો, જેમકે આચારાંગ સૂત્ર (ખંડ ૨.૧૫) જણાવે છે કે મહાવીરના માતા પિતા પાર્શ્વનાથના અનુયાયીઓ હતા,[5] આથી મહાવીરને પહેલેથી અસ્તિત્વ ધરાવતીના સુધારક તરીકે જોડી શકાયા. મહાવીરે પાર્શ્વનાથના ચાર સિદ્ધાંતોનો વ્યાપ વધાર્યો, તેમાં તેમણે અહિંસામાં પોતાના વિચાર્યો ઉમેર્યા અને તેમાં વૈરાગ્યને (બ્રહ્મચર્ય) ઉમેર્યો.[7] પાર્શ્વનાથના મતમાં બ્રહ્મચર્યની જરૂર ન હતી,[8] અને સંતોને સામાન્ય સભ્ય પરિવેશ ધારણ કરવાની છૂટ હતી.[9] પાર્શ્વનાથ ને મહાવીર એ તીર્થંકરોના વિચાર ભેદ, શ્વેતાંબર અને દિગંબર મતભેદ વચ્ચેનું એક કારણ છે.[10][11][12] પાર્શ્વનાથ અને મહાવીર ના વિચારો એક જેવા જ હતા એવી શ્વેતાંબરોની માન્યતાને દિગંબરો માનતા નથી.[13][11]