પાતાળ કૂવા
હકારાત્મક દબાણ હેઠળ ભૂગર્ભજળ ધરાવતું બંધિયાર જલભર / From Wikipedia, the free encyclopedia
ઉત્સ્ત્રુત જલભર એ હકારાત્મક દબાણ હેઠળ ભૂગર્ભજળ ધરાવતું બંધિયાર જલભર છે. આને કારણે કૂવામાં પાણી ત્યાં સુધી ઉપર ચઢે છે જ્યાં ઉત્પ્લાવન સંતુલન હાંસલ થાય છે. આ પ્રકારના કૂવાને પાતાળ કૂવો કહેવાય છે. જો કુદરતી દબાણ પુરતા પ્રમાણમાં ઊંચું હોય તો પાણી જમીનની સપાટી પર પણ પહોંચી શકે છે, આ કિસ્સામાં કુવાને વહેતો પાતાળ કૂવો કહેવાય છે.
જલભર એ રેતી, કાંકરા, ચૂનાના પત્થર અથા રેતીના પત્થર જેવા છીદ્રાણુ અને પારગમ્ય પદાર્થોનું બનેલું ભૂસ્તરીય સ્તર છે. આ સ્તરમાંથી પાણી વહે છે અને સંગ્રહ કરાય છે. ઉત્સ્ત્રુત જલભર અપારગમ્ય ખડકો અથવા માટીની વચ્ચે બંધિયાર હોય છે જે હકારાત્મક દબાણ પેદા કરે છે. જલભરનું રિચાર્જ ત્યારે થાય છે જ્યારે તેના રિચાર્જ ઝોનમાં જળ કોષ્ટક કુવાના માથા કરતા વધુ ઊંચાઇએ હોય.
અશ્મીભૂત જલ જલભરને પણ ઉત્સ્ત્રુત કરી શકાય છે જો તેઓ આસપાસના ખડકોના પુરતા દબાણ હેઠળ હોય. તે, નવા ખોદાયેલા તેલ કૂવાને જે રીતે દબાણ અપાય છે તેના જેવું હોય છે.