પાતાળ
From Wikipedia, the free encyclopedia
પાતાળ ભારતીય ઉપખંડના હિંદુ ધર્મનાં શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પૃથ્વીની નીચે એટલે કે તળમાં હોય છે. વિષ્ણુ પુરાણ અનુસાર સાત પ્રકારના પાતાળ લોક હોય છે.
![]() | વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |

સાત પાતાળ
આ સમસ્ત ભૂમંડળ પચાસ કરોડ યોજન વિસ્તાર ધરાવે છે. એની ઊંચાઈ સિત્તેર સહસ્ર (સિત્તેર હજાર) યોજન જેટલી છે. એની નીચે સાત પાતાળ નગરીઓ છે.
આ સાત પાતાળ લોક નીચે પ્રમાણેના છે:
- અતળ
- વિતળ
- સુતળ
- તળતળ
- મહાતળ
- રસાતળ
- પાતાળ
સુંદર મહેલો યુક્ત અહિયાંની ભૂમિ શુક્લ, કૃષ્ણ, અરુણ અને પીત વર્ણની તથા શર્કરામયી (કંકરીલી), શૈલી (પથરીલી) તેમ જ સુવર્ણમયી છે. અહીંયાં દૈત્ય, દાનવ, યક્ષ અને મોટા મોટા નાગોની જાતિઓ વાસ કરે છે. પાતાળમાં અરુણનયન એ પૃથ્વી પર આવેલા હિમાલયની જેમ જ એક પર્વત છે.
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.