પર્યુષણ
From Wikipedia, the free encyclopedia
પર્યુષણ કે પજુસણ એ જૈનત્વના બે સૌથી મોટા પર્વમાંનું એક છે, અન્ય મહત્ત્વનો તહેવાર છે દિવાળી. સામાન્ય રીતે શ્વેતાંબર પંથના લોકો આને પર્યુષણ તરીકે સંબોધે છે જ્યારે દિગંબર ફિરકાના લોકો આને દસ લક્ષણા તરીકે સંબોધે છે. શાબ્દિક રીતે પર્યુષણનો અર્થ થાય છે, "જોડાવું" અથવા "સાથે આવવું". આ એવો સમય છે જે દરમ્યાન સામાન્ય જન સમુદાય ટૂંક સમય માટે સાધુ જેટલી તીવ્રતાથી આધ્યાત્મનો અભ્યાસ અને તપ આદિ કરવાના પ્રત્યાખ્યાન (પ્રતિજ્ઞા) કરે છે. [1][2] પર્યુષણનો સમય ગાળો આઠ દિવસનો હોય છે. અને આ પર્વ ચોમાસાના ચાતુર્માસ (ચાર મહિના)દરમ્યાન આવે છે જ્યારે સાધુ સાધ્વીજીઓ ચાર માસના કાળ માટે એક સ્થળે સ્થિરવાસ રહે છે. આ કાળ દરમ્યાન મોડામાં મોડી ભાદરવા સુદ પાંચમ સુધી પર્યુષણની શરુઆત થઈ જવી જોઈએ. પ્રાચીન લિપીઓમાં એવું વર્ણન આવ્યું છે કે ભગવાન મહાવીર પર્યુષણની શરૂઆત ભાદરવા સુદ પાંચમના કરતાં હતાં. ભગવાન મહાવીરના ૧૫૦ વર્ષ પછી જૈન સંવત્સરીને ભાદરવા સુદ ચોથના દિવસે ખસેડવામાં આવી અને ૨૨૦૦ વર્ષોથી જૈનો ચતુર્થીના દિવસે સંવત્સરી ઉજવે છે.
આ રીતે પર્યુષણની તિથી બંને મુખ્ય ફિરકાઓ માટે ભાદરવા સુદ ચોથ છે. ગણતરી અને અન્ય મતભેદને પરિણામે પેટા ફિરકાઓમાં પર્યુષણ ઉજવણીમાં એકાદ બે દિવસનો ફરક પડી શકે છે. હાલમાં સંવત્સરી ઉજવણી વિષે સહેમતી લાવવા પ્રયત્નો ચાલુ છે.
ચાતુર્માસ દરમ્યાન સાધુ સાધ્વીજીઓ એક શહેર કે ગામ આદિમાં સ્થાયી થયેલ હોવાથી, શ્રાવક શ્રાવિકાઓ માટે આ સમય ધર્મ ધ્યાન ની વાતો વ્યાખ્યાનો આદિ સંભળી, તપ અને અન્ય વ્રત તથા આરાધનાઓ કરી તેમની શ્રદ્ધા અને આધ્યાત્મીકતાને દ્રઢ કરવાનો મનાય છે.
દિગંબર ફિરકામાં આ પર્વ પર્યુષણથી એટલે કે ભાદરવા સુદ પાંચમથી શરૂ કરી ૧૦ દિવસ મનાવાય છે. આ દિવસો દરમ્યાન દસલક્ષણા વ્રત અંગીકાર કરાય છે. પર્વના ૧૦ દિવસો દરમ્યાન ઉમાસ્વાતીના તત્વાર્થ સૂત્રનું વાંચન-પઠન કરવામાં આવે છે. દસમા દિવસે સુગંધા-દશમીનું વ્રત કરવામાં આવે છે. ચોથના દિવસે દિગંબર્ લોકો અનંત ચતુર્દશી ઉજવે છે તે દિવસે ઘના શહેરોમં મુખ્ય મંદિર તરફ સરઘસ કાઢવામાં આવે છે.
શ્વેતાંબર ફિરકાઅમાં આ તહેવાર ૮ દિવસનો ઉજવાય છે. આઠ દિવસના આ પર્વ દરમ્યાન કલ્પ સૂત્રનું વાંચન કરવામાં આવે છે. જે અંતર્ગત પાંચમા દિવસે ભગવાન મહાવીરના જન્મ નું વાંચન થાય છે. .[2] આ પર્વની સમાપ્તિ ભાદરવા સુદ ચોથના થાય છે. છેલ્લા દિવસે સંવત્સરી પ્રતિક્રમણ કરાય છે આ ઉપરથી છેલ્લા દિવસને સંવત્સરી પણ કહે છે.
મૂળ પ્રાકૃત (અર્ધમાગધી) માં પર્યુષણ માટે જે શબ્દ છે તે છે "પજ્જો-સવન". જૈન ધર્મમાં પ્રાકૃતના રૂપોને મૂળ રૂપ માનવામાં આવે છે.