પરમવીર ચક્ર
From Wikipedia, the free encyclopedia
પરમવીર ચક્ર (PVC) એ ભારતનો સર્વોચ્ચ સેના ખિતાબ છે. આ ચંદ્રક દુશ્મનો સામે અભૂતપૂર્વ શૌર્ય પ્રદર્શન અને દેશ માટે બલીદાનની ભાવના બદલ આપવામાં આવે છે. આ ચંદ્રક બ્રિટીશ વિક્ટોરિયા ક્રોસ, યુ.એસ. મેડલ ઓફ ઓનર કે ફ્રેન્ચ લીજન ઓફ ઓનર જેવા દુનિયાનાં શ્રેષ્ઠ સન્માનોની સમકક્ષ ગણાય છે. આ સન્માન મરણોપરાંત પણ આપવામાં આવે છે.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a4/Param-vir-chakra-medal.png/320px-Param-vir-chakra-medal.png)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/64/Param-Vir-Chakra-ribbon.svg/220px-Param-Vir-Chakra-ribbon.svg.png)
આ પદકની રચના ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ (પ્રથમ ગણતંત્ર દીવસ) ના રોજ ભારતનાં રાષ્ટ્રપતિશ્રી દ્વારા કરવામાં આવેલ, જેનો અમલ ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ (પ્રથમ સ્વતંત્રતા દિવસ) થી ગણવાનું ઠરાવવામાં આવેલ. આ એવોર્ડ સેનાની ત્રણે પાંખના જવાનો અને અધિકારીઓને આપવામાં આવે છે. આ ખિતાબ ભારત સરકારના ભારત રત્ન પછીનો દ્વિતિય ક્રમનો ગણાય છે, જે આઝાદી પૂર્વેના બ્રિટીશ વિક્ટોરિયા ક્રોસનું સ્થાન લે છે.
આ એવોર્ડની સાથે, લેફ્ટનેન્ટ અથવા તેની સમકક્ષથી નીચેની પદવી ધરાવનાર જવાનને કે તેમનાં વારસદારોને રોકડ પૂરસ્કાર (રૂ. ૧૫૦૦/માસ) આપવામાં આવે છે. તે ઉપરાંત ઘણા રાજ્યો પોતાના તરફથી પણ વિવિધ રોકડ પુરસ્કાર કે પેન્શન પણ આપે છે.