![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4c/Neminath_Ji.jpg/640px-Neminath_Ji.jpg&w=640&q=50)
નેમિનાથ
૨૨મા જૈન તીર્થંકર / From Wikipedia, the free encyclopedia
નેમિનાથ એ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૨૨મા તીર્થંકર છે. જૈન મત અનુસાર તેમણે પોતાના સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા.[3] તેઓ માત્ર નેમિ અથવા અરિષ્ટનેમિ તરીકે પણ ઓળખાય છે. અરિષ્ટનેમિનો સૂર્ય-રથ એવો પણ પર્યાય થાય છે. મહાવીર, પાર્શ્વનાથ અને ઋષભદેવ સાથે નેમિનાથ પણ જૈનોમાં સૌથી વધુ ભક્તિભાવ ધરાવે છે.[4]
નેમિનાથ | |
---|---|
૨૨મા જૈન તીર્થંકર | |
![]() બાતેશ્વર ઉત્તરપ્રદેશના જૈન મંદિરમાં નેમિનાથની મૂર્તિ. | |
અન્ય નામો | અરિષ્ટનેમિ |
ધર્મ | જૈન ધર્મ |
પુરોગામી | નમિનાથ |
અનુગામી | પાર્શ્વનાથ |
પ્રતીક | શંખ[1] |
ઊંચાઈ | ૧૦ ધનુષ્ય (૯૮ ફૂટ)[2] |
ઉંમર | ૧૦૦૦ વર્ષ |
વર્ણ | શ્યામ |
વ્યક્તિગત માહિતી | |
આવિર્ભાવ | દ્વારકા |
દેહત્યાગ | ગિરનાર પર્વત |
માતા-પિતા |
|
જૈન માન્યતા અનુસાર ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથની ૮૪,૦૦૦ વર્ષો પૂર્વે નેમિનાથ થઈ ગયા. તેમનું આયુષ્ય ૧૦૦૦ વર્ષનું માનવામાં આવે છે.[5] તેઓ રાજા સમુદ્રવિજય અને રાણી શિવાદેવીના સૌથી નાના સંતાન હતા. જૈન મત અનુસાર તેઓ હિંદુ ભગવાન શ્રી કૃષ્ણના પિત્રાઈ મનાય છે, તેમનું લાંછન પણ શંખ છે જે હિંદુ ભગવાન વિષ્ણુ પણ ધારણ કરે છે.[6] તેમનો જન્મ યદુ કૂળમાં સૌરીપુર (દ્વારકા)માં શ્રાવણ સુદ પાંચમના થયો હતો. તેઓ ગોવાળનું કામ કરતાં અને તેમને પ્રાણીઓ ખૂબ ગમતાં.[7] જૈન ધર્મની એક કથા અનુસાર નેમિનાથે તેમના લગ્નના દિવસે મિજબાની માટે મારવામાં આવતાં પ્રાણીઓનો આક્રંદ સાંભળ્યો,[8] અને તે સાંભળી તેમને વૈરાગ્ય આવ્યો અને તેમણે સંસાર ત્યાગી દીક્ષા અંગીકાર કરી.[9][10] તેમણે જુનાગઢના ગિરનાર પર્વત પર મોક્ષ મેળવ્યો. આ સ્થળ આજે પણ જૈનોનું યાત્રા ધામ છે.