નિત્યાનંદ સ્વામી
સ્વામિનારાયણ સંપ્રદાય ના વિદ્વાન સંત / From Wikipedia, the free encyclopedia
નિત્યાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના વ્યાસ તરીકે ઓળખાય છે. તેમણે શાસ્ત્રાર્થ કરી કરીને આ સંપ્રદાયની વૈદિકતા સિદ્ધ કરવા ખુબ મોટુ યોગદાન આપ્યું છે.
Quick Facts નિત્યાનંદ સ્વામી, જન્મ ...
બંધ કરો
તેમનું મુળ નામ દિનમણી શર્મા હતું. તેમનો જન્મ વિક્રમ સંવત ૧૮૪૯ ચૈત્ર શુક્લ ૯ (રામ નવમી)ના દિવસે વિરજા અને વિષ્ણુ શર્માને ત્યાં લખનૌમાં થયો હતો. તેઓ વિશેષ વિદ્યાભ્યાસ માટે કાશી ગયા હતા. તેઓ તેમના ભાષા વૈભવ, રસમાધુર્ય અને બુલુંદ વાક્છટા માટે જાણીતા હતા. તેઓ ભારતભરના પ્રસિદ્ધ તીર્થોની યાત્રા કરતા સ્વામિનારાયણની પાસે આવી પહોંચ્યા અને દીક્ષા લીધી.