નરેન્દ્ર મોદી
ભારતના વડાપ્રધાન / From Wikipedia, the free encyclopedia
નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦)[2] ભારતના ૧૪મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા છે.
નરેન્દ્ર મોદી | |
---|---|
નરેન્દ્ર મોદી, ૨૦૨૨ (અધિકૃત છબી) | |
ભારતના ૧૪ મા વડાપ્રધાન | |
પદ પર | |
Assumed office ૨૬ મે ૨૦૧૪ | |
રાષ્ટ્રપતિ | પ્રણવ મુખર્જી રામનાથ કોવિંદ દ્રૌપદી મુર્મૂ |
પુરોગામી | મનમોહન સિંહ |
ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી | |
પદ પર ૭ ઓક્ટોબર ૨૦૦૧ – ૨૨ મે ૨૦૧૪ | |
ગવર્નર | સુંદરસિંહ ભંડારી કૈલાશપતિ મિશ્રા ડૉ.બલરામ ઝાખડ નવલકિશોર શર્મા એસ.સી.જમિર ડૉ.કમલા બેનિવાલ |
પુરોગામી | કેશુભાઈ પટેલ |
અનુગામી | આનંદીબેન પટેલ |
સંસદ સભ્ય વારાણસી | |
પદ પર | |
Assumed office ૧૬ મે ૨૦૧૪ | |
પુરોગામી | મુરલી મનોહર જોષી |
ભાજપના જનરલ સેક્રેટરી | |
પદ પર ૧૯ મે, ૧૯૯૮ – ઓક્ટોબર, ૨૦૦૧ | |
અનુગામી | સુનિલ શાસ્ત્રી |
ભાજપના રાષ્ટ્રીય સેક્રેટરી | |
પદ પર ૨૦ નવેમ્બર, ૧૯૯૫ – ૧૯ મે, ૧૯૯૮ | |
અંગત વિગતો | |
જન્મ | નરેન્દ્ર દામોદરદાસ મોદી (1950-09-17)17 September 1950 વડનગર, મહેસાણા, ગુજરાત |
રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી |
જીવનસાથી | જશોદાબેન[1] |
નિવાસસ્થાન | ૭, લોક કલ્યાણ માર્ગ , નવી દિલ્હી |
માતૃ શિક્ષણસંસ્થા | ગુજરાત યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી |
સહી | |
વેબસાઈટ | અધિકૃત વેબસાઈટ સરકારી વેબસાઈટ |
નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના હિન્દુ કુટુંબમાં અમદાવાદથી ૧૧૨ કીમી અને મહેસાણાથી ૩૪ કીમી દૂર વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના માતા હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે.[3] તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ ૧૭ વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તે હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. ૧૯૯૮માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. ઇ.સ. ૨૦૦૧ના વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યના સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યમંત્રી છે. મોદી ભારતની અંદર અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદમાં રહી ચૂક્યા છે.[4][5][6][7][8][9][10][11]
તેઓ ગુજરાતના સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્યમંત્રી છે.