![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b1/Trimbakeshwar_nj.jpg/640px-Trimbakeshwar_nj.jpg&w=640&q=50)
ત્રંબકેશ્વર
From Wikipedia, the free encyclopedia
ત્રંબકેશ્વર એ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના ત્રંબક શહેરમાં આવેલું પ્રાચીન હિંદુ મંદિર છે. ત્રંબક નાસિક શહેરથી ૨૮ કિમી દૂર આવેલું છે. ત્રંબકેશ્વર શિવના ૧૨ જ્યોતિર્લિંગમાંનું એક છે.
ત્રંબકેશ્વર | |
---|---|
ત્રંબકેશ્વર મંદિર | |
![]() ત્રંબકેશ્વર મંદિર | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | નાસિક |
દેવી-દેવતા | શિવ |
તહેવારો | મહાશિવરાત્રિ |
સ્થાન | |
સ્થાન | ત્રંબક |
રાજ્ય | મહારાષ્ટ્ર |
દેશ | ![]() |
અક્ષાંશ-રેખાંશ | 19°55′56″N 73°31′51″E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય પ્રકાર | હેમાદપંથી |
નિર્માણકાર | બાલાજી બાજી રાવ |
મંદિરના પરિસરમાં આવેલો કુંડ કુશાવર્ત ગોદાવરી નદીનો સ્ત્રોત ગણાય છે. ગોદાવરી નદી દખ્ખણ પ્રદેશમાં આવેલી સૌથી લાંબી નદી છે. હાલનું મંદિર પેશ્વા બાલાજી રાવ (નાનાસાહેબ) દ્વારા બાંધવામાં આવ્યું હતું.
આ મંદિર પંદરેક ફૂટ ઊંચા કિલ્લાથી રચાયેલ છે. ઉત્તરમાં આવેલ સિંહદ્વારમાંથી દાખલ થતાં જ વિશાળ પટાંગણ આવે છે. અને તેની વચ્ચે ૯૦ ફૂટ પહોળું, ૧૧૫ ફૂટ લાંબુ અને ૯૫ ફૂટ ઊંચુ અદ્ભૂત કોતરણીવાળું કાળમીંઢ પથ્થરનું ભવ્ય મંદિર આવેલ છે. આ જયોર્તિલિંગ પરંપરાગત શિવલિંગ જેવું નથી. ગર્ભગૃહની અંદર વિશાળ થાળામાં અડધો ફૂટ પહોળો અને દોઢેક ફૂટ ઊંડો ખાડો છે. જે મોટેભાગે આ જયોર્તિલિંગના પેટાળમાં વહેતી ગૌતમી નદીના પાણીથી ભરાયેલો જ રહે છે. એથી જયાંથી જળનો સ્ત્રાવ થાય છે, તે મુખને હાથથી બંધ કરી દેવામાં આવે તો તેની અંદરની દિવાલ પર થોડા ઊંડે આવેલ મોટા લીંબુ જેવડા ત્રણ લિંગો અને ચોથો ખાડો સ્પષ્ટ દેખાય છે. અહીં સ્ત્રીઓને જયોર્તિલિંગની પૂજા કરવાની મનાઈ છે.
- ત્રંબકેશ્વર મંદિર, નાસિક
- મંદિરનું પ્રવેશદ્વાર
- કુશાવર્ત કુંડ