![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7d/Prerana_Sthala.jpg/640px-Prerana_Sthala.jpg&w=640&q=50)
તુકારામ ઓમ્બલે
ભારતીય પોલીસ અધિકારી / From Wikipedia, the free encyclopedia
તુકારામ ઓમ્બલે એસી (c. ૧૯૫૪ - ૨૭ નવેમ્બર ૨૦૦૮)[1] એ મુંબઈ પોલીસમાં મદદનીશ સબ ઇન્સપેક્ટર તરીકે નિયુક્ત હતા. તેઓ ભારતીય ભૂમિસેનામાંથી નિવૃત્ત થયા બાદ પોલીસમાં જોડાયા હતા. તેઓ ૨૦૦૮ મુંબઈ હુમલો દરમિયાન ગિરગામ ચોપાટી, મુંબઈ ખાતે આતંકવાદીઓ વિરુદ્ધની કાર્યવાહીમાં શહીદ થયા હતા. તેઓએ હુમલામાં સંડોવણી ધરાવતા આતંકવાદી અજમલ કસાબને જીવિત પકડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પાછળથી અજમલ કસાબ પર ખટલો ચાલ્યો અને તેને ફાંસી પર ચડાવાયો હતો. આ સાહસ, નિસ્વાર્થતા અને સર્વોચ્ચ બલિદાન માટે ઓમ્બલેને ભારત સરકારે અશોક ચક્ર વડે મૃત્યુપર્યંત નવાજ્યા હતા.[2]