તીર્થ પટ
From Wikipedia, the free encyclopedia
તીર્થ પટ (હિંદી तीर्थ पट) એ ધાર્મિક નકશો છે. શ્વેતાંબર જૈન પંથમાં તીર્થસ્થાનો દર્શાવવા માટે તેનો ઉપયોગ થાય છે. તીર્થ પટએ સામાન્ય નકશાથી અલગ હોય છે અને પ્રમાણમાપ પ્રમાણે હોતો નથી. તીર્થ પટ એ અંતર,ઊંચાઇ અને દિશા દર્શાવતો નથી અને માત્ર જૈન તીર્થ સ્થાનો દર્શાવે છે. જૈન ધર્મમાં એવું માનવામાં આવે છે કે માત્ર તીર્થ પટના દર્શન કરવાથી યાત્રા જેટલું પુણ્ય મળી જાય છે.[1][2]