![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e7/India_Bikaner_Junagarh_Fort.jpg/640px-India_Bikaner_Junagarh_Fort.jpg&w=640&q=50)
જુનાગઢ કિલ્લો, બિકાનેર
From Wikipedia, the free encyclopedia
જુનાગઢ કિલ્લો (Hindi: जुनाग्द क़िला) એ ભારતના રાજસ્થાન રાજ્યના બિકાનેર શહેરમાં આવેલ એક કિલ્લો છે. આ કિલ્લાને પહેલાં ચિંતામણી તરીકે ઓળખાતો પાછળથી જ્યારે રાજપરિવાર લાલગઢ કિલ્લામાં સ્થળાંતરીત થયો ત્યારથી તેને જુનો કિલ્લો અર્થાત્ જુનાગઢ તરીકે ઓળખવામાં આવ્યો. આ રાજસ્થાનના અમુક કિલ્લાઓમાં છે જેને ટેકરી ઉપર બાંધવામાં નથી આવ્યો. અધુનિક બિકાનેર શહેર આ કિલ્લાની ફરતે વિકસ્યું છે.[1][2][3]
જુનાગઢ કિલ્લો, બિકાનેર | |
---|---|
બિકાનેર, ભારત | |
![]() જુનાગઢ કિલ્લાનું દ્રશ્ય | |
પ્રકાર | કિલ્લો |
બાંધકામ વર્ષ | ૧૫૮૮-૧૫૯૩ |
બંધાવનાર; | કરણ ચંદ- બિકાનેરના રાજા રાય સિંહના નેતૃત્વમાં |
બાંધકામ બાંધકામ પદાર્થો |
લાલ રેતીયા પથ્થર (ડુલમેરા) અને આરસ |
લોકો માટે;to ખુલ્લું; |
હા |
નિયંત્રણ | રાજસ્થાન સરકાર |
![]() અનુપ મહેલના નીજી મંત્રણા કક્ષનું દ્રશ્ય |
આ કિલ્લાનું બાંધકામ બિકાનેરના છઠ્ઠા રાજા રાય સિંહ (૧૫૭૧-૧૬૧૧)ના મુખ્ય મંત્રીના કરણ ચંદની દેખરેખમાં કરવામાં આવ્યું. આની ભીંતો અને કોટનું બાંધકામ ૧૫૮૮માં શરુ થયું અને ૧૫૯૩માં પુરું થયું. જોકે, આ કિલ્લો શહેરના મૂળ કિલ્લાની બહાર બાંધવામાં આવ્યો. લક્ષ્મી નારાયણ મંદિરની બાજુમાં આજે પણ પ્રાચીન કિલ્લાના અવષેષો જોઈ શકાય છે.[3][1][4]
ઐતિહાસીક પુરાવા બતાવે છે જે વારંવાર થતાં હુમલા છતાં આ કિલ્લા પર કોઈનો તાબો થયો ન હતો. સિવાય કે એમ જ વખત એક દિવસ માટે કામરાન મિર્ઝા તેના પર તાબો કરી શક્યાં હતાં. કામરાન બાબરનો બીજો પુત્ર હતો જેણે ૧૫૩૪માં બિકાનેર પર આક્રમણ કર્યું હતું, બિકાનેર પર તે સમયે રાઓ જૈત સિંહનું વર્ચસ્વ હતું. આ યુદ્ધમાં રાઠોડોએ મોગલોને હરાવ્યા અને કામરાન લાહોર ભાગી ગયો.[3][5]
આ કિલ્લાના સંકુલમાં ૩૭ મહેલો, ઘણાં મંદિરો અને ગલિયારાઓ આવેલાં છે.[2][3]