જળવિમાન
From Wikipedia, the free encyclopedia
જળવિમાન (અંગ્રેજી:Hydroplane) એક પ્રકારની નૌકા છે, જે અન્ય નૌકાઓ કરતાં ભિન્ન હોય છે. આ પ્રકારની નૌકાઓ સામાન્ય રીતે નૌકાદોડ માટે થતો હોય છે. સામાન્ય નાવમાં વિસ્થાપિત જળનો ભાર નાવના ભારને સમતુલ્ય હોય છે. સામાન્ય નાવને આગળ તરફ ચલાવવા માટે ધક્કો આપવો પડતો હોય છે, જેના કારણે પાણીમાં પ્રતિરોધ ઉત્પન્ન હોવાને લીધે નાવ આગળ તરફ વધે છે. પરંતુ જળવિમાનમાં આમ બનતું નથી. જળવિમાન એવી રીતે બનાવવામાં આવેલું હોય છે કે તેના એક અથવા એક કરતાં વધારે નત સમતલ, જે પાછળના તળિયાના ભાગમાં બનેલા હોય છે, જળના પ્રતિદબાણના કારણે નાવને ઊપરની તરફ ઉઠાવી રાખીને તીવ્ર ગતિથી ચાલે છે. આના કારણે પાણીના સંસર્ગમાં રહેતા તળિયાનો ભાગ ઓછો થઇ જાય છે, પરંતુ શેષ ભાગ પર દબાણ વધી જાય છે. નાવ જ્યારે ઉભી રાખવામાં આવે છે ત્યારે તે દ્રવસ્થૈતિક બળ (hydrostatic force) પર આધારિત હોય છે. જ્યારે નાવ જળનો સ્પર્શ કરીને ચાલતી હોય ત્યારે દ્રવસ્થૈતિક બળ પ્રાય: શૂન્ય હોય છે અને તેનો આધાર મુખ્યત્વે દ્રવગતિક પ્રભાવ હોય છે. જળવિમાનની ચાલ એંજિન શક્તિ વડે ચાલતી નાવ કરતાં અધિક હોય છે, અથવા એટલી જ ગતિથી ચાલવા માટે ઓછી શક્તિ ધરાવતા એંજિનની આવશ્કતા પડે છે. ઈ. સ. ૧૯૫૩માં શોધાયેલા જળવિમાનની ગતિમાં બરાબર વૃદ્ધિ થતી રહી છે.