ચોલ સામ્રાજ્ય
From Wikipedia, the free encyclopedia
ચોલ સામ્રાજ્ય (તમિલ: சோழர்) એ દક્ષિણ ભારતના ઇતિહાસમાં સૌથી લાંબો સમય રાજ કરનાર એક સામ્રાજ્ય હતું. આ તમિલ સામ્રાજ્યનો સૌથી જૂનો ઉલ્લેખ ઇસ પૂર્વે ત્રીજી સદીના મોર્ય સામ્રાજ્યના અશોકના શિલાલેખોમાં મળે છે. આ સામ્રાજ્યનો શાસન કાળ ૧૩મી સદી સુધી વિવિધ વિસ્તારોમાં ફેલાયેલો હતો. ચોલ વંશ નો સંસ્થાપક વિજયાલય હતો પરંતુ આ વંશનો વાસ્તવિક સંસ્થાપક રાજરાજ પ્રથમ હતો જેને ચેર, પાંડ્યો, વેન્ગીના પૂર્વી ચાલુક્યો, કલિંગ અને માલદીવ પર વિજય મેળવીને નૌકાસેનાનું ગઠન કર્યું હતું. રાજરાજ પ્રથમે તંજાવુરમાં બૃહદેશ્વર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. રાજરાજ પ્રથમ પછી તેનો પુત્ર રાજેન્દ્ર પ્રથમે ગંગેકોડ ચોલાપુરમ નામના નગરની સ્થાપના કરી હતી. ચોલ વંશનો અંતિમ શાસક ફૂલોટુંગ પ્રથમ હતો.
Quick Facts
ચોલ સામ્રાજ્ય சோழப் பேரரசு | ||||||||
| ||||||||
ચોલ સામ્રાજ્યનો વિસ્તાર દર્શાવતો નકશો | ||||||||
રાજધાની | શરૂઆતી ચોલ: પૂમપુહર, ઉરાયુર, તિરવુર, મધ્ય ચોલ: પાઝહાયારી, તાંજાવુર ગંગાઇકોંડા ચોલાપુરમ્ | |||||||
ભાષાઓ | તમિલ | |||||||
ધર્મ | હિંદુ (મુખ્યત્વે શૈવપંથી) | |||||||
સત્તા | રાજાશાહી | |||||||
રાજા | ||||||||
• | ૮૪૮–૮૭૧ | વિજયલ્યા ચોલ | ||||||
• | ૧૨૪૬-૧૨૭૯ | રાજેન્દ્ર ચોલ દ્વિતીય | ||||||
ઐતિહાસિક યુગ | ઐતહાસિક યુગ | |||||||
• | સ્થાપના | ઇ.સ. પૂર્વે ૩૦૦ | ||||||
• | મધ્ય ચોલનો ઉદ્ભવ | ઇ.સ. ૮૪૮ | ||||||
• | સામ્રાજ્ય તેની પરાકાષ્ઠાએ | ઇ.સ. ૧૦૩૦ | ||||||
• | અંત | ઇ.સ. ૧૨૭૯ | ||||||
| ||||||||
સાંપ્રત ભાગ | ભારત માલદીવ્સ શ્રીલંકા મલેશિયા[1] | |||||||
બંધ કરો