ચુની લાલ
From Wikipedia, the free encyclopedia
નાયબ સુબેદાર ચુની લાલ, એસી વીઆરસી એસએમ એ ભારતીય ભૂમિસેનાની આઠમી પલટણ, જમ્મુ અને કાશ્મીર લાઇટ્ ઇન્ફન્ટ્રીના એક સૈનિક હતા. તેમનો જન્મ ભદરવા, ડોડા જિલ્લો, જમ્મુ અને કાશ્મીર ખાતે થયો હતો.[1] તેમને વીરતા માટે વીર ચક્ર અને સેના મેડલ એનાયત કરાયા હતા.[2] તેઓ કુપવાડા ખાતે આતંકવાદી વિરોધી કાર્યવાહી દરમિયાન ૨૪ જૂન ૨૦૦૭ના રોજ શહીદ થયા હતા. આ આતંકવાદીઓ સરહદ પાર કરી અને ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરી કરી રહ્યા હતા અને કાર્યવાહી દરમિયાન તમામ આતંકવાદીઓને ઠાર મરાયા હતા. આ કાર્યવાહી જેમાં ચુની લાલ શહીદ થયા તેના માટે તેમને ભારતનો શાંતિકાળનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર (પુરસ્કાર) મૃત્યુપર્યંત એનાયત કરાયો હતો.
Quick Facts નાયબ સુબેદારચુનીલાલ એસી, વીઆરસી, એસએમ, જન્મ નામ ...
નાયબ સુબેદાર ચુનીલાલ એસી, વીઆરસી, એસએમ | |
---|---|
જન્મ નામ | ચુની લાલ |
જન્મ | (1968-03-06)6 March 1968 ભદરવા, જમ્મુ અને કાશ્મીર, ભારત |
મૃત્યુ | 24 June 2007(2007-06-24) (ઉંમર 39) કુપવાડા, જમ્મુ અને કાશ્મીર, ભારત |
સેવા/શાખા | ભારતીય ભૂમિસેના |
સેવાના વર્ષો | ૧૯૮૪-૨૦૦૭ |
હોદ્દો | નાયબ સુબેદાર |
સેવા ક્રમાંક | જેસી-૫૯૩૫૨૭ |
દળ | ૮ જેક લાઇ |
યુદ્ધો | સિયાચીન યુદ્ધ ઓપરેશન મેઘદૂત ઓપરેશન રાજીવ કારગિલ યુદ્ધ ઓપરેશન વિજય કાશ્મીર સમસ્યા |
પુરસ્કારો | અશોક ચક્ર વીર ચક્ર સેના ચંદ્રક |
બંધ કરો