ગાંધી સ્મૃતિ
નવી દિલ્હી, ભારત ખાતે મહાત્મા ગાંધીનું મૃત્યુસ્થળ અને સંગ્રહાલય / From Wikipedia, the free encyclopedia
ગાંધી સ્મૃતિ, (પ્રાચીન નામ : બિરલા હાઉસ અથવા બિરલા ભવન) એ મહાત્મા ગાંધીજીને સમર્પિત એક સંગ્રહાલય છે, જે ભારતના નવી દિલ્હીમાં, તીસ જાન્યુઆરી રોડ (પ્રાચીન નામ: અલ્બુકાર્ક રોડ) પર આવેલું છે. આ તે સ્થાન છે જ્યાં મહાત્મા ગાંધીજીએ તેમના જીવનના છેલ્લા ૧૪૪ દિવસો પસાર કર્યા હતા અને જ્યાં ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ ના દિવસે તેમની હત્યા કરવામાં આવી હતી. આ ઈમારત ભારતીય ઉદ્યોગપતિ, બિરલા પરિવારનું ઘર હતું. હવે તેને ઈટર્નલ ગાંધી મલ્ટિમીડિયા મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવી છે, તેની સ્થાપના ૨૦૦૫ માં કરવામાં આવી હતી. [1]
આ સંગ્રહાલય સોમવાર અને રાષ્ટ્રીય રજાઓ સિવાય દરરોજ ખુલ્લું રહે છે. પ્રવેશ બધા માટે મફત છે. [2]