ગાંધીવાદ
From Wikipedia, the free encyclopedia
ગાંધીવાદ એવા વિચારોનો સંગ્રહ છે જે મહાત્મા ગાંધીનાં પ્રેરણા, વિચારો અને કાર્યોને દર્શાવે છે. તે ખાસ કરીને અહિંસક પ્રતિકારના વિચારમાં તેના યોગદાન સાથે સંકળાયેલ છે, જેને ક્યારેક નાગરિક પ્રતિકાર પણ કહેવામાં આવે છે. ગાંધીવાદના બે આધારસ્તંભ સત્ય અને અહિંસા છે .
"ગાંધીવાદ"માં ગાંધીજીનાં વિચારો, શબ્દો, અને ક્રિયાઓ વિશ્વના લોકો માટે શું મહત્વ ધરાવે છે અને તેને પોતાના ભવિષ્યના ઘડતર માટે કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તેનો સમાવેશ થાય છે. ગાંધીવાદ વ્યક્તિગત માનવ, રાજકીય અને અસામાજિક ક્ષેત્રમાં પણ પ્રવેશ કરે છે. ગાંધીવાદીનો અર્થ એવી વ્યક્તિ થાય છે કે જે ગાંધીવાદ કે તેને અટ્રિબ્યૂટ કરેલી વિચારધારાનું પાલન કરે છે.[1]
જોકે, ગાંધીજીએ 'ગાંધીવાદ' શબ્દને મંજૂરી આપી ન હતી. જેમ કે તેમણે સમજાવ્યું:
""ગાંધીવાદ" જેવી કોઈ વસ્તુ નથી અને હું મારા નામ પાછળ કોઈ સંપ્રદાય ઈચ્છતો નથી. હું પોતે કોઈ નવા સિદ્ધાંત કે માન્યતાને ઉત્પન્ન કર્યાનો દાવો કરતો નથી. મેં માત્ર મારી પોતાની રીતે શાશ્વત સત્યોને મારા દૈનિક જીવનમાં અને સમસ્યાઓમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. મેં જે મંતવ્યો બનાવ્યાં છે અને હું જે નિર્ણયો પર આવ્યો છું તે આખરી નથી. હું કદાચ કાલે તેને બદલી શકું. મારી પાસે વિશ્વને શીખવવા કંઈ જ નવું નથી. સત્ય અને અહિંસા તો ટેકરીઓ જેટલાં જૂનાં છે."[2]