ગણધર
જૈન તીર્થંકરોના શિષ્ય / From Wikipedia, the free encyclopedia
જૈનત્વમાં ગણધર એ તીર્થંકરોના પ્રાથમિક કક્ષાના શિષ્યો હોય છે.[1][2] ૨૪માંના દરેક તીર્થંકરને તેમના ગણધરો હોય છે પણ તેમની સંખ્યા ઓછી વધતી હોય છે.
'સાધુ પદ'માં ગણધરનેએ પદવી સૌથી સન્માનનીય માનવામાં આવે છે. તેઓ 'તીર્થંકર' બાદ બીજ વ્યક્તિ હોય છે જે દિવ્યવાણી પીરસે છે. મહાવીરના સૌથી પ્રમુખ ગણધર હતાં "ગૌતમ સ્વામી"
કોઈ પણ તીર્થંકરનો શ્રમણ (સાધુ)સંઘ વિવિધ ગણોમાં વિભાજીત થયેલ હોય છે, દરેક ગણના મુખીને ગણધર કહે છે.
જૈન મંગળા ચરણના સંદર્ભમાં પણ ગણધરને મહત્વનું સ્થાન અપાયું છે
- "મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી.
- મંગલમ કિંકિડર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ"