From Wikipedia, the free encyclopedia
કુરુક્ષેત્ર યુદ્ધ કૌરવો અને પાંડવો વચ્ચે કુરુક્ષેત્ર મેદાનમાં લડવામાં આવ્યું હતું. આ યુદ્ધને ભારતના ઇતિહાસનું સૌથી મોટું યુદ્ધ માનવામાં આવે છે.[1] મહાભારત મુજબ આ યુદ્ધમાં ભારતના નાના-મોટા અનેક રજવાડાઓએ ભાગ લીધો હતો. આ યુદ્ધમાં લાખો ક્ષત્રિય યોદ્ધાઓ માર્યા ગયા હતા. આ યુદ્ધમાં ભારતવર્ષ ઉપરાંત અન્ય દેશોના રાજાઓએ પણ યુદ્ધમાં ભાગ લીધો હતો અને એ તમામ વીરગતિને પામ્યા હતા.[1] આ ભીષણ યુદ્ધના પરિણામ સ્વરુપે ભારતમાં એ સમયે ક્ષણિક સમય માટે જ્ઞાન, વિજ્ઞાન અને વીર યોદ્ધાઓના અભાવની સ્થિતિનું નિર્માણ થયું હતું. આ મહાન યુદ્ધનું વર્ણન વેદવ્યાસ દ્વારા મહાભારત નામના ગ્રંથમાં કરવામાં આવ્યું છે. આ ગ્રંથને હજારો વર્ષો સુધી ભારતવર્ષમાં ગાઈ, સાંભળીને તેમજ તામ્રપત્રો પર લખીને યાદ રાખવામાં આવ્યો હતો. હવે તે અધ્યતન સ્વરુપે પણ ઉપ્લબ્ધ છે.[2]
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
કુરુક્ષેત્ર યુદ્ધ | |||||||
---|---|---|---|---|---|---|---|
મહાભારત મહાભારતની હસ્તલિખિત પાંડુલિપિનું એક ચિત્ર | |||||||
| |||||||
યોદ્ધા | |||||||
પાંડવના સેનાપતિયુધિષ્ઠિર | કૌરવના સેનાપતિ ભીષ્મ | ||||||
સેનાનાયક | |||||||
ધ્રુષ્ટધુમ્ન † | ભીષ્મ †,દ્રોણ †,કર્ણ †, શલ્ય †,અશ્વત્થામા | ||||||
શક્તિ/ક્ષમતા | |||||||
7 અક્ષૌહિણી ૧૫,૩૦,૯૦૦ સૈનિક |
11 અક્ષૌહિણી ૨૪,૦૫,૭૦૦ સૈનિક | ||||||
મૃત્યુ અને હાની | |||||||
બધા યોદ્ધાઓમાંથી માત્ર ૮ જાણીતા વીરો બચ્યા-પાંચ પાંડવ, કૃષ્ણ, સાત્યકિ, યુયુત્સુ |
બધા યોદ્ધાઓમાંથી માત્ર ૩ જાણીતા વીરો બચ્યા -અશ્વત્થામા, કૃપાચાર્ય, કૃતવર્મા |
મહાભારતમાં મુખ્યત્વે ચંદ્રવંશીઓના બે પરિવારો કૌરવો અને પાંડવો વચ્ચે થયેલા ભીષણ યુદ્ધનું વૃતાંત છે. ૧૦૦ કૌરવો અને પાંચ પાંડવો વચ્ચે કુરુ રાજ્યની ભૂમિ અને હસ્તિનાપુરની રાજગાદી માટે સંઘર્ષ શરુ થયો અને તેના પરિણામ સ્વરુપે મહાભારતના યુદ્ધનું નિર્માણ થયું. કુરુક્ષેત્રના મેદાનમાં થયેલા આ યુદ્ધનું સ્થળ હાલનાં હરિયાણા રાજ્યમાં છે. આ યુદ્ધમાં પાંડવોનો વિજય થયો હતો.[3] મહાભારતમાં આ યુદ્ધને ધર્મયુદ્ધ તરીકે ઓળખાવવામાં આવ્યું છે, કારણ કે તે પાંડવ તરફે માત્ર સત્તા, રાજ્ય કે જમીનની પ્રાપ્તિ માટે નહીં પણ ન્યાય અને ધર્મના રક્ષણ માટે લડવામાં આવ્યું હતું.[1] મહાભારતની સ્મૃતિ તાજી કરતા કેટલાક સ્થળો અને અવશેષો ભારતમાં આવેલા છે. દિલ્લીમાં આવેલા પુરાના કિલ્લાને પાંડવોના કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે.[4]કુરુક્ષેત્રમાંથી પણ પુરાતત્વ વિભાગ દ્વારા મહાભારતકાળના બાણ અને ભાલાઓ પ્રાપ્ત કરવામાં આવ્યા છે.[5]ગુજરાતમાં દરીયામાં ડૂબી ગયેલા શહેરો પણ મળી આવ્યા છે.[6]જેનો સંદર્ભ મહાભારતમાં વર્ણવાયેલી દ્વારકા નગરી સાથે જોડવામાં આવે છે.[7], આ સિવાય બરનાવામાં પણ લાક્ષગૃહના અવશેષો મળી આવ્યા છે.[8], આ બધા પ્રમાણ મહાભારતની સત્યતા સિદ્ધ કરે છે.
મહાભારતનું યુદ્ધ થવાનું મુખ્ય કારણ કૌરવોની ઊચ્ચ મહત્વકાંક્ષાઓ અને ધૃતરાષ્ટ્રનો પુત્રમોહ હતા. કૌરવો અને પાંડવો પરસ્પર કૌટુંબિક ભાઈઓ હતા. વેદવ્યાસના નિયોગથી વિચિત્રવિર્યની પત્ની અંબિકાના ગર્ભથી ધૃતરાષ્ટ્ર અને અંબાલિકાના ગર્ભથી પાંડુની ઉત્પત્તિ થઈ હતી. ગાંધારીએ મંત્રશક્તિ દ્વારા ૧૦૦ પુત્રો ઉત્પન્ન કર્યા હતા જેમાં દુર્યોધન સૌથી મોટો પુત્ર હતો. પાંડુના યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુળ અને સહદેવ નામના પાંચ પુત્રો હતા. પ્રથમ ત્રણ પુત્રો કુંતી દ્વારા મંત્રશક્તિથી ઉત્પન્ન થયા હતા જ્યારે નકુળ અને સહદેવ માદ્રીના ગર્ભથી ઉત્પન્ન થયા હતા. ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ હતા એટલે રાજ્યશાસન પાંડુને સોંપવામાં આવ્યું હતું તેથી ધૃતરાષ્ટ્ર પાંડુના પુત્રો પ્રત્યે દ્રેષભાવ રાખતો હતો. આ દ્રેષભાવના દુર્યોધન દ્વારા ફળીભૂત થઈ અને મામા શકુનીએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું. શકુનીના કહેવાથી દુર્યોધને નાનપણથી માંડીને લાક્ષાગૃહ સુધી અનેક પ્રકારના ષડયંત્રો રચ્યા. પણ બધી જ વખત તેની ચાલ નિષ્ફળ ગઈ હતી. યુવાવસ્થામાં પ્રવેશતાની સાથે જ યુધિષ્ઠિરને યુવરાજ બનાવી દેવામાં આવ્યા હતા. પાંડવોને લાક્ષાગ્રુહમાં મારી નાખવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો. પાછળથી યુવરાજ તરીકે દુર્યોધનના નામની ઘોષણા કરી દેવામાં આવી. પાંડવોએ પરત આવીને પોતાના રાજ્યની માગણી કરી ત્યારે તેમને રાજ્યના નામે ખાંડવ વન આપવામાં આવ્યું. ધૃતરાષ્ટ્રના અનુરોધથી ગૃહયુદ્ધથી બચવા માટે યુધિષ્ઠિરે આ પ્રસ્તાવ પણ સ્વીકારી લીધો. શ્રીકૃષ્ણ દ્વારા દેવતાઓના શિલ્પીની મદદથી ભવ્ય ઇન્દ્રપ્રસ્થ નામની નગરીનું નિર્માણ કરવામાં આવ્યું. પાંડવોએ વિશ્વવિજય કરીને પ્રચૂર માત્રામાં ધનવૈભવ એકત્રિત કરીને રાજસૂય યજ્ઞ કર્યો. દુર્યોધન અને શકુની પાંડવોની આ ઉન્નતિ જોઇ ન શક્યા એટલે કૌરવોએ ધૂર્તવિદ્યા દ્વારા છળથી પાંડવો પાસેથી રાજ્યશાસન જીતી લીધુંં, ભરી સભામાં દ્રોપદીના ચીરનું હરણ કરવામાં આવ્યું. પાંડવોને વનમાં એકાંતવાસમાં મોકલી દેવામાં આવ્યા. ચીરહરણની ધૃણાસ્પદ ઘટનાની સાથે જ યુદ્ધના બીજ રોપાઇ ગયા હતા. જુગારમાં હારી જવાથી પાંડવોને ૧૨ વર્ષ સુધી વનવાસ અને ૧ વર્ષ સુધી અજ્ઞાતવાસ સ્વીકારવો પડ્યો. આ શરત પૂર્ણ થયા પછી પણ કૌરવોએ પાંડવોને તેમનું રાજ્ય સોંપવાની ના પાડી દીધી જેથી અન્યાય સામે યુદ્ધ કરવા માટે પાંડવો વિવશ બન્યા. શ્રીકૃષ્ણ દ્વારા યુદ્ધ ન થાય તે માટે યથાસંભવ તમામ પ્રયાસો કરવામાં આવ્યા પણ બધા જ નિષ્ફળ નીવડયાં. છેવટે કૌરવો પાંડવોને પાંચ ગામ આપે તેવો પ્રસ્તાવ રાખવામાં આવ્યો પણ સોયની અણી બરાબર જમીન આપવા પણ કૌરવો તૈયાર ન થયા.
યુદ્ધ રોકવાના તમામ પ્રયાસો પછી પણ કૌરવો જ્યારે પાંડવોને સોયની અણી જેટલી જમીન આપવા માટે તૈયાર ન થયા ત્યારે બન્ને પક્ષે યુદ્ધની તૈયારીઓ થવા માંડી. કૌરવોએ ૧૧ અક્ષૌહિણી અને પાંડવોએ ૭ અક્ષૌહિણી સેના એકત્રિત કરી. યુદ્ધની તૈયારીઓ પૂર્ણ થયા બાદ કૌરવો અને પાંડવો બન્નેના દળો યુદ્ધ કરવા માટે કુરુક્ષેત્રના મેદાનમાં પહોચ્યાં, જ્યાં આ મહા ભયંકર યુદ્ધ લડવામાં આવ્યું હતું.[9] કુરુક્ષેત્રના એ ભયાનક ધમાસાણ અને સંહારક યુદ્ધનું વર્ણન મહાભારત ગ્રંથમાં કરવામાં આવ્યું છે. તેમાં એક શ્લોક[10] નીચે મુજબ છે:-
न पुत्रः पितरं जज्ञे पिता वा पुत्रमौरसम्।
भ्राता भ्रातरं तत्र स्वस्रीयं न च मातुलः॥
અર્થાત:
આ યુદ્ધમાં ન પુત્ર પિતાને, ન પિતા પુત્રને,
ન ભાઈ ભાઈને, ન મિત્ર મિત્રને કે ન મામા ભાણેજને ઓળખતા હતા.
મહાભારતના યુદ્ધનો સમય સામાન્ય રીતે ઇસ્વીસનની શરુઆત પહેલા ૩૨૦૦ વર્ષ પહેલાનો માનવામાં આવે છે. કેટલાક પશ્વિમી વિદ્વાનો તેનો સમય ૧૦૦૦ ઇસ્વીસન પૂર્વેનો માને છે અને આ માટે મહાભારતમાં વર્ણવવામાં આવેલા સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ વગેરેના આધારે પણ ગણતરી કરવામાં આવે છે. પણ વિદ્વાનો વચ્ચે સમયાવધિ મુદ્દે હંમેશા મતભેદ રહ્યા છે અને કોઇ સર્વમાન્ય સમય નિર્ધારીત કરી શકાયો નથી. પૌરાણિક આધારો અને ભારતીય કાલગણના મુજબ આ યુદ્ધ દ્વાપરયુગના અંતમાં થયું હતું. યુદ્ધની સમાપ્તિના થોડા વર્ષો બાદ કલિયુગનો પ્રારંભ થયો હતો.
૧૨ વર્ષોં સુધી જ્ઞાતવાસ અને ૧ વર્ષ સુધી અજ્ઞાતવાસની શરત પૂર્ણ કરવા છતાં પણ જ્યારે કૌરવોંએ પાંડવોને તેમનું રાજ્ય પરત આપવા માટે ઇનકાર કરી દીધો ત્યારે પાંડવોને યુદ્ધ કરવા માટે વિવિશ થવું પડ્યું હતું. પરંતુ શ્રીકૃષ્ણએ કહ્યું કે, 'આ યુદ્ધ મોટા વિનાશનું કારણ બની શકે છે'. તેથી તેમણે આ યુદ્ધને રોકવા માટેના હરસંભવ પ્રયાસો કરવાનો સુઝાવ આપ્યો. તેમણે કહ્યું કે, 'દુર્યોધનને એક અંતિમ અવસર અવશ્ય આપવો જોઇએ'. આ માટે શ્રીકૃષ્ણ પાંડવોની તરફથી કુરુરાજ્યની સભામાં શાંતિદૂત બનીને ગયા અને દુર્યોધન સામે પાંડવોને માત્ર પાંચ ગામ આપીને યુદ્ધ ટાળવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો. દુર્યોધને પાંડવોને સોયની અણી જેટલી જમીન આપવા માટે પણ ઇનકાર કરી દીધો. શ્રીકૃષ્ણે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે, 'આ યુદ્ધના કારણે ભારે જાનહાની થશે અને અનેક નિર્દોષ લોકોનો ભોગ લેવાશે'. તેનાથી ક્રોધિત થઈને કૌરવોએ શ્રીકૃષ્ણને બંધીવાન બનાવવાનો પ્રયત્ન કર્યો. આ સમયે કૌરવોની સામે શ્રીકૃષ્ણે પોતાનું વિરાટ સ્વરુપ રજૂ કર્યું અને કૌરવોને એ વાતનું ભાન કરાવવાનો પ્રયત્ન કર્યો કે આ સમગ્ર વિશ્વ મારામાં જ સમાયેલું છે અને મને કોઇ બાંધી શકે તેમ નથી. આ વિરાટ રુપ જોઇને કૌરવો ભયભીત બની ગયા. શ્રીકૃષ્ણ ત્યાંથી વિદાય થયા અને આ રીતે યુદ્ધ ટાળવા માટે સમજાવટનો અંતિમ પ્રયાસ પણ નિષ્ફળ ગયો. આ કારણે યુધિષ્ઠિરને યુદ્ધ કરવા માટે વિવશ થવું પડ્યું.
આ સમયે ભગવાન વેદવ્યાસે ધૃતરાષ્ટ્ર પાસે જઈને જણાવ્યું કે, 'તારા પુત્રોએ સમસ્ત ગુરુજનોની વાતોની અવહેલના કરીને અંતે મહાવિનાશકારી યુદ્ધ નોતર્યું છે'. ધૃતરાષ્ટ્રની યુદ્ધ નિહાળવાની મહેચ્છાના કારણે વેદવ્યાસે તેમને કહ્યું કે, 'હું તને દિવ્યદૃષ્ટિ આપી શકુ છું. તેના વડે તું આ મહાવિનાશકારી યુદ્ધની વિનાશલીલા તારી નજરે નિહાળી શકશે'. ધૃતરાષ્ટ્રે કહ્યું કે, 'મારા અને પાંડુના પુત્રોને પરસ્પર લડતા, મરતા, મારતા હું મારી આંખોથી જોઇ શકીશ નહીં પણ એવી વ્યવસ્થા કરવામાં આવે કે મને આ યુદ્ધના પળેપળના સમાચાર મળતા રહે'. તેથી વેદવ્યાસે સંજયને દિવ્યદૃષ્ટિ પ્રદાન કરી અને સંજય દિવ્યદૃષ્ટિ દ્વારા ત્યાં બેઠા બેઠા જ સમગ્ર યુદ્ધ પોતાની આંખોથી જોઇ શકે અને તેનું વર્ણન ધૃતરાષ્ટ્રને કહી સંભળાવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.[20]
પ્રાચીન સમયમાં યુદ્ધમાં નિપૂણ સેનાપતિઓ દ્વારા દુશ્મનને ભીડવવા માટે યુદ્ધના કેટલાયે પ્રકારના વ્યૂહો બનાવવામાં આવતા હતા જેનાથી પોતાની સેનાના સંરક્ષણ સાથે શત્રુની સેનામાં સહેલાઈથી પ્રવેશ મેળવીને તેના રાજાને ભીડવી શકાતો હતો. વ્યૂહમાં આખી સેનાને એક વ્યવસ્થિત રુપમાં ગોઠવવામાં આવતી હતી. સામા પક્ષે એક વ્યૂહ રચ્યો હોય તો તેને તોડવા માટે બીજા પ્રકારનો વ્યૂહ રચવામાં આવતો હતો. આવા અનેક પ્રકારના વ્યૂહો હતા જેના નામો તેના આકાર અથવા તો ગુણધર્મોના આધારે રાખવામાં આવ્યા છે. આ પ્રકારની વ્યૂહરચનાથી નાનામાં નાની સેના પણ વિશાળકાય લાગે છે અને મોટામાં મોટી સેનાનો પણ સામનો કરી શકે છે. મહાભારતના યુદ્ધમાં પાંડવો પાસે ૭ અક્ષૌહિણી સેના હતી જ્યારે કૌરવો પાસે ૧૧ અક્ષૌહિણી સેના હતી તેમ છતાં પાંડવોની સેનાએ કૌરવોની સેનાને હરાવી દીધી હતી. મહાભારતના ૧૮ દિવસના યુદ્ધમાં બન્ને પક્ષો દ્વારા અનેક પ્રકારના વ્યૂહો રચવામાં આવ્યા હતા.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.