![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/6f/Rhinos_in_KNP.jpg/640px-Rhinos_in_KNP.jpg&w=640&q=50)
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન
From Wikipedia, the free encyclopedia
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન (આસામીઝ: কাজিৰঙা ৰাষ্ট্ৰীয় উদ্যান) ભારતના આસામ રાજ્યના ગોલાઘાટ અને નાગાંવ જિલ્લામાં આવેલ છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનને વિશ્વ ધરોહર સ્થળ તરિકે ઘોષિત કરવામાં આવ્યું છે. ભારતીય ગેંડા પ્રજાતિના બે તૃતિયાંશ ગેંડાઓ અહીં રહે છે.[1] સુરક્ષીત ક્ષેત્રોમાં વાઘની વસ્તીની સૌથી વધારે ગીચતા કાઝીરંગામાં છે અને તેને ૨૦૦૬માં વાઘ અભયારણ્ય જાહેર કરાયું છે. આ ઉદ્યાન એશિયાઈ હાથી, પાણીની જંગલી ભેંસ અને સાબર (બારાસીંઘા)નું ઘર છે. બર્ડ લાઈફ ઈંટરનેશનલ દ્વારા કાઝીરંગાને પક્ષીઓના સંરક્ષણ માટે મહત્ત્વપૂર્ણ સ્થળ જાહેર કર્યું છે. ભારતનાં અન્ય અભયારણ્યોની તુલનામાં કાઝીરંગાએ વન્ય જીવન સંરક્ષણમાં વધુ સફળતા મેળવી છે. પૂર્વી હિમાલયના કિનારે જૈવિક વિવિધતા ભરેલા આ ક્ષેત્રમાં વન્ય જીવનની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે.
કાઝીરંગા એક વિશાળ કલળવાળું ક્ષેત્ર છે જેમાં ઊંચા ઊંચા હાથી ઘાસ ઉગે છે. આ એક ગીચ પહોળા પાંદડાઓ વાળા જંગલોનું ક્ષેત્ર છે. એકબીજાને છેદતી ચાર મુખ્ય નદીઓ અહીંથી વહે છે જેમાની એક બ્રહ્મપુત્રા છે. આ ઉપરાંત બીલ તરીકે ઓળખાતા નાના તળાવો પણ છે. ઘણાં પુસ્તકો, ગીતો અને દસ્તાવેજી ચિત્રોનો વિષય કાઝીરંગા રહી ચુક્યું છે. ૧૯૦૫માં અભયારણ્ય ઘોષીત આ ઉદ્યાને ૨૦૦૫માં પોતાની ૧૦૦મી વર્ષગાંઠ ઉજવી.