![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/55/Emblem_of_India.svg/langgu-640px-Emblem_of_India.svg.png&w=640&q=50)
કલમ ૩૭૦
From Wikipedia, the free encyclopedia
ભારતીય બંધારણની કલમ ૩૭૦ અતંર્ગત જમ્મુ-કાશ્મીરને િવશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત હતો.[1] [2]આ અનુચ્છેદ અનુસાર ભારતીય સંસંદ જમ્મુ-કાશ્મીર રાજ્યના સંઘ-સૂચિ તથા સમવર્તી-સૂચિના એ વિષયો પર જ નિયમો બનાવીએ શકે છે કે જેનો ‘વિલય પત્ર’માં ઉલ્લેખ છે. અનુચ્છેદ ૩૭૦માં જોવા મળતી “જમ્મુ અને કાશ્મીર રાજ્ય સંબંધમાં કામચલાઉ જોગવાઇઓ”[3] એ બંધારણના ભાગ XXI માં તૈયાર કરવામાં આવેલી અસ્થાયી, પરિવર્તનશીલ અને વિશેષ જોગવાઈઓ છે. [4] જમ્મુ અને કાશ્મીરની બંધારણ સભાની સ્થાપના પછી, ભારતીય બંધારણના લેખોની ભલામણ કરવાની સત્તા આપવામાં આવી હતી, જેનો રાજ્યમાં અમલ થવો જોઈએ અથવા કલમ ૩૭૦ ને પૂરી રીતે રદ કરવામાં આવશે. બાદમાં જમ્મુ-કાશ્મીર બંધારણ સભાએ રાજ્યનું બંધારણ ઘડ્યું અને કલમ ૩૭૦ રદ કરવાની ભલામણ કર્યા વિના પોતાને વિખેરી નાખી, આ કલમને ભારતીય બંધારણની કાયમી લક્ષણ માનવામાં આવતી હતી.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/55/Emblem_of_India.svg/320px-Emblem_of_India.svg.png)
ભારત સરકારે ૫ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર રાજ્યમાંથી બંધારણની કલમ ૩૭૦ હટાવવા અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાજ્યના વિભાજનના પ્રસ્તાવનો ઐતિહાસિક ઠરાવ રજૂ થયો હતો. જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશની પોતાની વિધાનસભા હશે જ્યારે લદ્દાખ વિધાનસભા વિનાનો કેન્દ્રશાસિત પ્રદેશ હશે.