કર્કરોગ (કેન્સર)
From Wikipedia, the free encyclopedia
કર્કરોગ (કેન્સર) (તબીબી પરિભાષામાં મેલિગ્નન્ટનિયોપ્લાઝમ) એક એવા પ્રકારનો રોગ છે કે જેમાં કોશિકાઓનો નિરંકુશ રીતે વિકાસ થાય છે.(તેનું વિભાજન સામાન્ય વિસ્તાર કરતાં વધારે પ્રમાણમાં થાય છે) અને આક્રમણ (આજુબાજુમાં આવેલા પેશી ઉપર આક્રમણ કરીને તેનો નાશ કરે છે),અને કેટલીક વખત તે મેટાસ્ટેસિસ દર્શાવે છે.(શરીરની પેશીઓ અથવા તો લોહી મારફતે શરીરનાં અન્ય ભાગોમાં પ્રવેશે છે). કેન્સરનાં ઉપર્યુક્ત ત્રણ જીવલેણ લક્ષણો તેમને પોતાને બિનાઇન ગાંઠોથી અલગ પાડે છે. બિનાઇન ગાંઠો સ્વયં મર્યાદિત હોય છે અને તે આક્રમણ કે અતિક્રમણ કરનારી અથવા તો મેટાસ્ટેટાઇઝ થનારી નથી હોતી. લગભગ તમામ પ્રકારના કેન્સરમાં ગાંઠોની રચના થાય છે પરંતુ લ્યુકેમિયા જેવા કેટલાક કેન્સરમાં ગાંઠ થતી નથી. તબીબી વિજ્ઞાનની જે શાખા કેન્સરના અભ્યાસ, નિદાન, સારવાર અને તેને રોકવા માટે કામ કરે છે તેને ઓન્કોલોજી કહેવામાં આવે છે.
કેન્સર ગર્ભસ્થ શીશુ સહિત તમામ ઉંમરની વ્યક્તિ ઉપર અસર કરી શકે છે પરંતુ મોટા ભાગના કેન્સરનું જોખમ ઉંમર સાથે વધતું જાય છે.[1] માનવીઓનાં કુલ મૃત્યુ પૈકી 13 ટકા મૃત્યુ કેન્સરના કારણે થાય છે.[2] અમેરિકન કેન્સર સોસાયટીના જણાવ્યા અનુસાર વર્ષ 2007 દરમિયાન વિશ્વમાં 76 લાખ લોકો કેન્સરથી મૃત્યુ પામ્યા હતા.[3] કેન્સરની અસર તમામ પ્રાણીઓ ઉપર થઇ શકે છે.
લગભગ તમામ પ્રકારનાં કેન્સર કોશિકાઓના રૂપાંતરણ દરમિયાન સર્જાતી આનુવંશિક તત્વોમાં વિકૃતિ આવવાને કારણે થતાં હોય છે.[4] આ વિકૃતિ તમાકુનું સેવન કે ધુમ્રપાન, કિરણોત્સર્ગ, રસાયણો, અથવા તો શરીરના અંદરના ભાગે ચેપ લગાડનારાં તત્વો જેવા કેન્સર કરતા પદાર્થોને કારણે થવાની શક્યતા રહે છે. અન્ય કેન્સરને ઉત્તેજન આપતી આનુવંશિક વિકૃતિ રંગસૂત્રોની પ્રતિકૃતિમાં ભૂલ થવાને કારણે અથવા તો વારસાગત હોય છે જેના કારણે તે જન્મ સમયથી જ દરેક કોશિકાઓમાં રહેલાં હોય છે. કેન્સર પેદા કરતા પદાર્થો અને યજમાન શરીરના વંશસૂત્રો વચ્ચે થતી જટીલ પ્રક્રિયાને કારણે સામાન્યતઃ કેન્સરની વારસામાં ઉતરવાની ક્ષમતા પર અસર થતી હોય છે. ડીએનએ મિથાયલેશન અને માઇક્રો આરએનએ જેવા કેન્સર પેથોજેનેસિસના આનુવાંશિકીના નવા આયામોનું મહત્ત્વ વધી રહ્યું છે
કેન્સરમાં જોવા મળેલી આનુવંશિક વિકૃતિ જીનના બે સામાન્ય વર્ગ ઉપર અસર કરે છે. કર્કરોગ ફેલાવનારા ઓન્કોજિન્સ (ઓન્કોજિન) કેન્સરના કોશિકાઓમાં સર્કિય હોય છે તે.આ કોશિકાઓને અત્યંત ઝડપી વિકાસ અને વિભાજન, કોશિકાઓનાં નિશ્ચિત મૃત્યુ સામે રક્ષણ, સામાન્ય પેશીની સીમારેખાની અવગણના અને વિવિધ પેશી વચ્ચે પ્રસ્થાપિત થવાની શક્તિ વગેરે જેવાં તત્વો પૂરાં પાડે છે. જેના કારણે ગાંઠોને નાબૂદ કરનારાં વંશસૂત્રો (ગાંઠો નાબૂદ કરનારું વંશસૂત્ર)કેન્સરના કોશિકાઓમાંથી નિષ્ક્રિય બની જાય છે. તેથી જે કોશિકામાં રંગસૂત્રોની પ્રતિકૃતિ વ્યવસ્થિત ધોરણે થતી હોય છે તેવા કોશિકાઓ તેમનું સુવ્યવસ્થિત સંચાલન ગુમાવી દે છે. આમ થવાને કારણે કોશિકાઓનાં જીવનચક્ર ઉપર તેનો કાબૂ આવી જાય છે અને તે પેશી ઉપર ચોંટી જાય છે તેમજ રોગપ્રતિકારક શક્તિના કોશિકાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવા લાગે છે.
કર્કરોગના નિદાન માટે સામાન્યતઃ રોગવિજ્ઞાની દ્વારા પેશીના ટૂકડાની હિસ્ટોલોજિક તપાસ કરાવવાની જરૂર રહે છે. તેમ છતાં પણ કર્કરોગના સંકેતો તેનાં લક્ષણો અથવા તો કિરણો (એક્સ રે) દ્વારા ખેંચેલી તસ્વીરમાં દેખાતી અસાધારણતા ઉપરથી મેળવી શકાય છે. મોટાભાગના કેન્સરની સારવાર શક્ય છે અને તેમાંના કેટલાંક મટી પણ શકે છે. જોકે તે કયા પ્રકારના છે, શરીરના કયા ભાગમાં છે અને કયા તબક્કામાં છે તેના ઉપર આધાર રાખે છે. એક વખત નિદાન થયા બાદ સામાન્યતઃ કર્કરોગની સારવાર શસ્ત્રક્રિયા, કિમોચિકિત્સા અને રેડિયોચિકિત્સા દ્વારા કરવામાં આવે છે. જેમ જેમ સંશોધનો વધતાં જાય છે તેમ તેમ વિવિધ પ્રકારનાં કેન્સર માટેની સારવાર વધુને વધુ ચોક્કસ બનતી જાય છે. લક્ષ્યચિકિત્સા પદ્ધતિના વિકાસની તરફ નોંધપાત્ર પ્રગતિ નોંધાવા પામી છે. એ પ્રકારની દવાઓ કે જે તેવા જ પ્રકારની ગાંઠો ઉપર અસર કરે છે કે જેમાં કેન્સરનાં કોશિકાઓ હોય અને તે સામાન્ય કોશિકાઓને થતું નુક્શાન અટકાવે છે. કર્કરોગના દર્દીનું નિદાન તેને કયા પ્રકારનું કેન્સર છે અને તે કયા તબક્કામાં છે અથવા તો શરીરમાં કેટલું ફેલાયેલું છે તેનાથી પ્રભાવિત હોય છે. આ ઉપરાંત ઐતિહાસિક શ્રેણીકરણ અને કેટલાક ચોક્કસ જીવાણુઓની સૂચક હાજરી પણ કેન્સરનાં નિદાનમાં અને તેની વ્યક્તિગત સારવારમાં મદદરૂપ થઇ શકે છે.