કમ્બામપતિ નચિકેતા
ફ્લાઇટ લેફ્ટનન્ટ, હવે સ્ક્વોડ્રોન લીડર / From Wikipedia, the free encyclopedia
ગ્રુપ કેપ્ટન કમ્બાપતિ નચિકેતા વાયુસેના પદક[1] એ ભારતીય વાયુસેનાના અધિકારી છે. તેઓને ૧૯૯૯ના કારગિલ યુદ્ધ દરમિયાન કાશ્મીર ખાતે તેમના વિમાન મિગ-૨૭ને પાકિસ્તાની સ્ટીંગર પ્રક્ષેપાત્ર વડે નુક્શાન પહોંચતા વિમાન છોડવા ફરજ પડી હતી[2][3] અને તે બાદ પાકિસ્તાન દ્વારા તેમને યુદ્ધકેદી બનાવાયા હતા. તેઓ ઓપરેશન સફેદ સાગર અંતર્ગત ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા હતા ત્યારે ૨૭ મે ૧૯૯૯ના રોજ આ ઘટના ઘટી હતી.
Quick Facts ગ્રુપ કેપ્ટન કમ્બામપતિ નચિકેતા, હુલામણું નામ ...
ગ્રુપ કેપ્ટન કમ્બામપતિ નચિકેતા | |
---|---|
હુલામણું નામ | નચિ |
જન્મ | (1973-05-31) May 31, 1973 (ઉંમર 50) |
દેશ/જોડાણ | ભારત |
સેવા/શાખા | ભારતીય વાયુ સેના |
સેવાના વર્ષો | ૧૯૯૦-૨૦૧૭ |
હોદ્દો | ગ્રુપ કેપ્ટન |
દળ | ૯મી સ્ક્વોડ્રન ૪૮મી સ્ક્વોડ્રન ૭૮મી સ્ક્વોડ્રન |
યુદ્ધો | કારગિલ યુદ્ધ |
પુરસ્કારો | વાયુસેના પદક |
બંધ કરો
ગ્રુપ કેપ્ટન નચિકેતાનો જન્મ ૩૧ મે ૧૯૭૩ના રોજ કે આર કે શાસ્ત્રી અને લક્ષ્મી શાસ્ત્રીના ઘરમાં થયો હતો.[4] તેઓએ શાળાકીય અભ્યાસ દિલ્હી ખાતેથી મેળવી અને રાષ્ટ્રિય સુરક્ષા અકાદમિ, પૂણે ખાતે નિયુક્તિ મેળવી ભારતીય વાયુસેનામાં જોડાયા હતા.