અશ્વમેધ
વૈદિક અને પૌરાણિક કાળમાં થતાં એક પ્રકારના યજ્ઞો / From Wikipedia, the free encyclopedia
અશ્વમેધ કે અશ્વમેધ યજ્ઞ વૈદિક અને પૌરાણિક કાળમાં થતાં એક પ્રકારના યજ્ઞો હતા, આ યજ્ઞમાં અશ્ચની બલિ ચડાવવામાં આવતી હતી. વૈદિક વખતમાં આ યજ્ઞ પ્રજા ઉત્પન્ન કરવા માટે કરવામાં આવતો, પણ પાછળથી તે માત્ર ચક્રવર્તી રાજાઓ જ કરતા. વૈદિક વખતમાં આ યજ્ઞ પ્રજા ઉત્પન્ન કરવા માટે કરવામાં આવતો, પણ પાછળથી તે માત્ર ચક્રવર્તી રાજાઓ જ કરતા. તેમાં ઘોડાના હોમની સાથે બીજાં પણ ઘણાં પશુનો વધ કરવામાં આવતો. પહેલાં તો અમુક ક્રિયા વખતે ઘોડા અને બીજાં પ્રાણીઓને ફક્ત બાંધવામાં આવતાં. ખરેખરી રીતે હોમવાની વિધિ પાછળથી દાખલ થયાંનું જણાય છે[1].